________________
આવી પારકી પંચાતની ખાતાવહીને મૂકીને “મારું ખરું ગુણસ્થાનક શું છે?”
હું કઈ પ્રકૃતિને વશ છું” “એથી હું સ્વતંત્ર કેમ બનું” ઇત્યાદિ વિચારણું નિરંતર કર્યા જ કરે અને પરમ યોગીશ્વર શ્રી મહાવીરે કર્મપ્રકૃતિને તેડવાના જે જે નિયમે પોતાના જીવનમાં આચર્યા હતા, તેનું આચરણ કરવાને જરા પણું પાછી પાની ન કરે. કર્મવાદને ઉદ્દેશ સંસારની વિચિત્રતા જણાવી આત્મામાં સ્થિરતા આહવાન છે, નહિ કે બીજા બીજાની ખાતાવહીઓને તપાસ્યા કરવાને, તેમ ઈશ્વરવાદના ઈશ્વરને દૂપિત કરવાને પણ કર્મવાદને આગળ કરવાને નથી, કર્મ-પ્રકૃતિઓની ભંગ-જાળ જમાવીને બીજાને ચમકાર દેખાડવાને પણ એની એ યોજના નથી, માત્ર પુરૂષાર્થને પ્રધાનતા આપી એ જાળમાંથી છૂટવાને જ એને એ મહાપુરૂષે જણાવેલ છે, ઈશ્વરવાદીની જ પેઠે કર્મવાદિને પણ હ–શાક શી રીતે ઘટે? એને તે પોતાના અાનનું જ પરિણામ જણાયા કરે અને એ પાશમાંથી છૂટો થવાને જ એ ઝખ્યા કરે–પૂર્ણ અહિંસા, પૂર્ણ સત્ય, તપ અને સંયમાદિના સેવન દ્વારા એ કર્મપ્રકૃતિઓના ભયંકર દુમલાઓને હડાવે, પિતાની સમવૃત્તિને જરા પણ આંચ ન આવવા દે અને “જૈન” નામનો અર્થનુકૂળ ભાવ પોતાના જીવનમાં ઉતારે
આ પ્રકારે એ પાંચ મહાવાદને પરસ્પર અથડાવવાના નથી. એ પચે મહાભાવનાઓ આમવિકાસમાં અસાધારણ કારણરૂપ છે. આપણે શારીરિક વિકાસ કરવાનાં અનેક સાધનો હોય છે, આપણે માનસિક વિકાસ કરવાનાં પણ અનેક નિમિત્તે મળી રહે છે તેમ આપણી આધ્યાત્મિક વૃત્તિની ખાલવણું માટે જ એ પાંચ મહાભાવનાઓ રોજાએલી છે. વ્યવહારમાં જોઈએ તે આપણે જાણી શકીએ છીએ કે, ધનને ઉપાર્જવા અનેક પ્રકારના વ્યાપારની ચેજના થએલી છે- તે તે વ્યાપાર કરનારા પ્રામાણિક પુરૂષો પોત પોતાના વ્યાપારના સમર્થન માટે અને બીજાના વ્યાપારના ખંડન માટે કોઈ પ્રકારના તર્ક કે યુક્તિઓનો ઉપયોગ કરતા નથી, તે માટે પરસ્પર શાસ્ત્રાર્થ થતા નથી અને તે પ્રકારનાં શાસ્ત્રો પણ કઈ તરફથી લખાએલાં નથી એ તે જે વ્યાપાર કરવાની જેને સગવડ હેય તે એને કરીને પૈસો પેદા કરી લે છે. એ જ પ્રકારે આત્મ-માર્ગને ઘુંટાવવા માટે એ એ મહાપુરૂષોએ તે તે ભાવનાઓની રોજના કરેલી છે–મુમુક્ષુઓએ તો એ વ્યાપારિઓ ની પેઠે જ એ ભાવનાઓનો ઉપયોગ કરી ગએલા આમધનને પાછું મેળવવાનું છે–નહિ કે, આ ભાવના ખરી અને આ ભાવના બેટી’ એવા વિવાદમાં પડવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org