________________
-તેમ કર્યા વિના–તો આપણને એ શ્રીહરિભદ્રજીનું કથન પણ ચકડોળે ચડાવે તેવું લાગે એવું છે. પાણીમાં તરનારે મનુષ્ય, તરવાનાં અનેક સાધનોમાંના પિતાને અનુકૂળ સાધનનો ઉોગ કરે છે, ચાલી ચાલીને થાકેલો પુરુષ, બેસવાનાં અનેક સાધનામાં કોઈ પણ એક સાધનને વિના વિવાદે કારે છે અને રેગથી રીબાના ગિઓ પોતપોતાની પ્રકૃતિને અનુકૂળ એવા કોઈ પણ આષધનું સેવન કરવામાં તર્ક કે કલ્પનાને ઉગ કરતા નથી એ જ રીતે આત્મવિકાસની લાલચ રાખનારા, દેહાધ્યાસને જડમૂળથી ઉખેડવાની વૃત્તિવાળા અને સંસારની પ્રપંચમચી માયાથી સ્વતંત્ર થનારા મુમુક્ષુઓ પણ એ એ મહાપુરૂષોએ જણાવેલા કોઈ પણ એકવાદને પોતાના જીવનમાં ઉતારી જરૂર નિર્વાણની નજીક પહોંચી જાય છે.
પ્રકૃતિવાદને માનનાર પુરૂષ તકતર્લિને ત્યાગ કરી પિતાના વૈભાવિક સક્રિયપણાને નાશ કરે છે એટલે એ સત્ત્વ, રજ અને તમથી પર થવા માટે પ્રયત્ન કરે છે, પ્રાકૃતિક કિ મન કે દેહને દાદ દેતો નથી, પ્રાકૃતિક કામ, ક્રોધ, મેહ લેભ, રાગ દેશને વશ થ નથી, એને સ્વભાવથી ટ્યુત કરવા પ્રકૃતિ પોતાની જબરાઈ વાપરે છે પણ એ પિતાનું સમતોલપણું ન ગુમાવતાં એક તટસ્થ સાક્ષીની પેઠે સઘળું જોયા કરે છે અને પતિ તે સિદ્ધાત્માઓની જેવું પિનાનું અકર્તાપણું ટકાવી રાખે છે માત્મા કપિલ અને એના પ્રતિવાદના રને હું ઉપર્યુક્ત પ્રકારે સમજી શક્યો છું. કદાચ આ રીત ને સમજવામાં આવે અને પ્રતિવાદના તાકિકા સંસાર સમય પ્રકૃતિવાદને જ ખરે પાડવા દલીલ ઉપર દલાલે દીધા જ કરે અને પ્રકૃતિના પામર દાસ બની રહે તે માટે કાળે એમના સિદ્ધાંતનું “અક્રિયપણે એ કદી પણ ન અનુભવી શકે. આત્માના અક્રિયપણને ખીલવવામાં, સર્વત્ર તટસ્થ રહેવાની આભાની સ્વાભાવિક વૃત્તિને વિકાસ કરવામાં અને સત્વ, રજ તથા તમથી પર થવામાં જ પ્રકૃતિવાદને ઉપગ કરવાને છે–એને એ જાતનો જ ઉગ નિર્વાણને હેતુ હોઈ શકે છે. એ જ દષ્ટિએ ભગવાન હરિભદ્રજીએ પ્રતિવાદને પણ સત્ય કહ્યો છે અને યોગીશ્વર ૧ આનંદઘનજીએ એ પ્રકૃતિવાદને શ્રીજિનવરરૂપ કલ્પવૃક્ષને પાયો જણાભે પણ છે.
૧ “જિનસુરપાદપ પાય વખાણ સાંખ્ય ગય બે રે” – સ્ત ગા૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org