SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ બીજાઓના ભલાને માટે જ નિરંતર કમર કસીને મહેનત કરવી. (ગુરુધર્મને ભાવના) ગુરૂઓની, પવિઓની, સાધુઓની, (બ્રાહ્મણ ધર્મ પાળતા) વિની અને આદર્શ દેવાની અર્થાત્ એ એ મહાત્મા પુરૂષોની પ્રયત્ન પૂર્વક પૂજા કરવી સત્સંગ કરવો. પિતાને કર્મથી હગાએલા પાપિઓ તરફ દયાની લાગણી રાખવી–આ ધમ ઉત્તમ છે” આટલું ટુંકે કહીને શ્રીહરિભદ્રજી આપણને જણાવે છે કે, આ આત્મજ્ઞાન માટે તેના નિત્યાનત્યના, સક્રિયઅક્રિયના, કર્તાઅકર્તાના વિકલ્પોને તિલાંજલિ આપી સૌથી પ્રથમ અહિંસક સર્વથા અહિંસક બનવાની ચેષ્ટા કરવી જોઇએ, પોપકાર માટે નિરંતર તૈયાર થઈ રહેવું જોઈએ, સતપુરુષોનો સંગ પણ કરવો જોઈએ અને ખોટાં કામ કરનારાઓ તરફ માત્ર દયાની જ લાગણી ( દેષ કે તિરસ્કાર તે નહિ) જ રાખવી જોઈએ. વા સ્તવિક રીતે આ રીતે વર્તનારો ગમે તે દર્શન, પંથ કે માર્ગના અનુયાયી હશે તે પણ જરૂર આત્મશાંતિને મેળવશે અને એ જ સંસ્કારથી કાળક્રમે પૂર્ણ આત્મવકાસને-મુક્તિને-પણ પામશે, એ શંકા વિનાની વાત છે. ઇદ્રિએને દમવી, ઇચ્છાઓને ટુંકી કરવી, દેહને પર માનીને દમ, અકામવૃત્તિ રાખવી, સંયમને જાળવ, સંસારમાં રહેતાં પણ તેની માયામાં ન લેપાવું, પાર્થ આત્મભોગ માટે સદા તૈયાર રહેવું, મરણાંત કષ્ટ આત્મધર્મની મૈત્રી ન છેડવી વગેરે એ બધાં આત્મજ્ઞાનનાં સાધનોને અપચારમાં મૂકવાં એ એટલું બધું કઠણ છે, જેની લક્ષાંશ કઠણાઈ એ તકતકિમાં ક્યાંય પણ દેખાતી નથી, માટે જ લોકપ્રવાહ એ તકત િતરફ લે છે અને આજ હજારો વર્ષથી એ તકત િજ પૂજાતી આવી છે અને આજે પણ એ જ મહામાયા પૂજાય છે. આટલું બધું લખીને એ તકશાસ્ત્ર કે ન્યાયશાસ્ત્રને નિંદવાન લેખકનો આશય જેરા પણ નથી. કિંતુ એ વિષે એટલું તો જરૂર કહેવું જોઈએ કે, એ તર્કશાસ્ત્ર મનુબેને માત્ર કપનાને ઘડે ચડાવી પાછા કયાં પડે છે–એનો પત્તો લાગતું નથી અર્થાત એ દ્વારા કઈ જાતને નિર્ણય ન પામતાં માત્ર મનુય તરંગી બનીને જીવનને યમ-નિયમ તરફ ભાગ્યે જ દે છે અને એ રીતે વાત શુષ્ક તેને માત્ર સખા બને છે. ભગવાન શ્રીહરિભદ્રજીએ જણાવ્યું છે કે, પ્રકૃતિવાદ, ઇશ્વરવાદ, અદ્વૈતવાદ કે ક્ષણિકવાદ વગેરે બધા વા ઉપયોગી છે, જે આપણે બરાબર એ મહાપુરૂષની હકીકત સમજી શકીએ તે એમનું કહેવું જરા પણ અનુચિત નથી. એ માને કોઈ પણ એક વદને તકતકિને ન ચડાવતાં જે મનુ પિતાના જીવનમાં ઉતારે તે જ એની ઉપયોગિતા સમજાય તેમ છે–અન્યથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy