________________
અર્થાત “સાંખ્ય દર્શનના મૂળ પુરૂષ કપિલ અને શ્રદ્ધા દર્શનના મૂળ પુરૂષ સુમત વગેરે એ બધા દર્શનાર મહાપર 7 હતા. જળનારાઓની યોગ્યતા તન્ક લય રાખીને “આત્મા નિત્ય છે' વા અનિત્ય છે” એવી ચિત્રા–જુદી જુદી–દેશના તેઓએ આપેલી છે– જે રીતે કહેવાથી સાંભળનારાઓને મોહ નાબૂદ થાય, દેહાધ્યાસ છૂટી જાય, આત્મજ્ઞાનના બીજનું આધાન થાય, સસારના પ્રપંચ તરફ દુર્લક્ષ્ય રહે અને આત્મસ્થિરતાની પ્રાપ્તિ થાય તે રીતે તેઓએ જુદે જુદે ઉપદેશ આપેલો છે: કોઈ મુમુક્ષ વિનય ( શિષ્ય) “હે તે હવે મરી જઈશ” “મારું કલ્યાણ શી રીતે થશે” મારી ઉમર પણ બહુ થઈ ગઈ છે” એ રીતે કાળભીર થઇ કાયર બની જતાં તેને કહેવામાં આવે છે કે, “ભાઈ, તું મુંઝા મા’ ‘તું કદી મરતે જ નથી” તું તે નિત્ય છે, “તારે વળી કાળની બીક શી?” તું તે તારું સાધન કર્યા જ કર’–આ પ્રકારે કાળભીરૂ શિષ્યની નિરાશાને અને કાયરતાને દૂર કરવા માટે તથા તેની આત્મસાધનાને નિરંતર ચાલુ રાખવા માટે પર્યાયોને ગાણ કરી અને કલ્પને પ્રધાન રાખીને સમજાવવામાં આવે છે. વળી, કેાઈ બીજો મુમુક્ષ શિષ્ય ભેગે ભેળવવામાં જ એકમ થઈ ગયો છે. એ બેગોને માટે બીજા કેટલા પ્રાણોને ભોગ અપાઈ કવ છે–એને ખ્યાલ પણ એને આવતો નથી, માત્ર જડાધ્યાસી થઈ અને તેમનું ભાન ભૂલી ગયો છે અને એ જ ધ્યાસને લીધે બીજાની અશાંતિને એ લેશ પણ ખ્યાલ આવતો નથી—એવા ભોગી પુરૂષને કહેવામાં આવે છે કે, “ ભાઈ, તું હવે જાગ્રત થા” “આ બધું નશ્વર છે-ક્ષણિક–છે' કાળને ભરૂસો નથી” “તું પણ હતું ન હતો થઈ જઈશ”—આ પ્રકારે ભેગના કીચડમાં ખેંચી ગએલા મુમુક્ષને ઉગારી લેવા માટે, એને સત્પથ પર આણી આત્મભાન કરાવવા માટે અને એને આત્મ-સ્થિરતાની ઝાંખી કરાવવા માટે દ્રવ્યો ગણુ કરી– પયોને મુખ્ય કરીને સમજાવવામાં આવે છે. આ દૃષ્ટિએ વિચારતાં નિત્યવાદના ઉપદેશકની અને અનિચ-વાદના ઉપદેશકની મહત્તાનો ખ્યાલ આપણને આવી શકે એમ છે– એ માટે જ તે તે મહાપુને સર્વ કહેવામાં આવ્યા છે અને સંસારની વ્યાધિથી પીડાતા આપણી જેવા દરદિઓ માટે ઉત્તમ વૈદ્ય સમાન ગણવામાં આવ્યા છે. તેઓએ આપેલા એ જૂદી જૂદી દેશનાએ યોગ્ય ભલેને તે જરૂર લાભ જ કર્યો છે—માટે જ એ દેશના અહીં “ અધ્ય” કહેવામાં આવી છે.” આ સંબંધે વિશેષ કહેતાં શ્રીહરિભદ્રસૂરિજી આ પ્રમાણે પણું જણાવે છે કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org