________________
સમવાય–એટલે જે બે વસ્તુ–એક બીજા વિના ન રહી શકે એવી હેય- તેઓને પરસ્પરને સંબંધ તે સમવાય. ૪૧
પ્રમાણ–છેઃ પ્રત્યક્ષ અને અનુમાન. ૬ જેમિનીયદર્શન ૪૨– પૂર્વમીમાંસા):
૪૧. જેમ કે, વસ્તુ અને તેના રૂપનો સંબંધ, માણસ અને તેના મનુષ્યપણાને સંબંધ વગેરેઃ રૂપ કે વસ્તુ અથવા મનુષ્ય કે મનુષ્યપણું એ બને એવાં છે કે, જે એક બીજા વિના કદી પણ ન જ રહી શકે.
૪૨. આ દર્શનનું બીજું નામ “મીમાંસક મત પણ છે. આ દર્શનને અનુસરનારા સાધુઓના વેષાદિ સંબંધે “સાંખ્યદર્શન’ ઉપરનું ટિપ્પણ જોઈ લેવું. આ લોકે પણ એકદડી કે ત્રિદંડી હોય છે. એના બે પ્રકાર છે. એક બ્રહ્મમીમાંસક અને બીજા કમ મીમાંસક. જેઓ ભટ્ટ અને પ્રભાકરના અનુયાયિઓ છે તેઓ કમીમાંસક છે અને વેદાતિઓને બ્રહ્મમીમાંસક કહેવામાં આવે છે. મીમાંસક–સાધુઓ ગેરૂઆ રંગનું વસ્ત્ર પહેરે છે, હાથમાં કમંડલુ રાખે છે, મૃગચર્મ ઉપર બેસે છે અને માથે મુંડિત હોય છે, એઓ પિતાના ગુરૂ તરીકે વિદને જ માને છે–એ સિવાય બીજા કોઈને ગુરૂ કે સર્વજ્ઞ માનતા નથી. તેઓ જનોઈને પખાળીને પાણીનું આચમન ત્રણવાર લે છે. મીમાંસકે બ્રાહ્મણ જ હોય છે–એઓ દ્ધોનું અન્ન લેતા નથી. ભટ્ટના મતમાં અને પ્રભાકરના મતમાં પણ પ્રમાણભેદ છે. પૂર્વમીમાંસાને માનનારા મીમાંસકો કુકર્મો કરતા નથી, યજ્ઞાદિ ષટકર્મોને કરે છે. બ્રહ્મસૂત્ર રાખે છે, ગૃહસ્થાશ્રમી હોય છે અને શદ્રોને ત્યાં અલેતા નથી. ઉત્તરમીમાંસાને માનનારા મીમાંસકે અદ્વૈતને જ માને છે–તેઓ પણ બ્રાહ્મણ જ હોય છે. તેઓના નામની પાછળ “ભગવત’ શબ્દ યોજાએલે રહે છે અને તેઓ ચાર પ્રકારના છે: કુટીચર, બદક, હંસ અને પરમહંસ.
કુટીચરઃ મઠમાં રહે છે, શિખાને રાખે છે, બ્રહ્મસૂત્ર પહેરે છે, ત્રિદંડી હેય છે, યજમાનને ત્યાં ભેજનાદિ લે છે અને એકાદવાર પિતાના પુત્રને ત્યાં પણ જમે છે
બદક નદીકાંઠે રહે છે, સ્નાન કરે છે, બ્રાહ્મણના ઘરનું-પણુ–નીરસ ભેજન લે છે અને વિષ્ણુને જાપ જપે છે તથા વૈષ તે કુટીચરની જે જ રાખે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org