SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ وف ૫ વૈશેષિક દર્શન, ૩૭ આ દર્શનમાં તો છેઃ કવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય. દ્રવ્ય-નવ છે. પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ, કાલ, દિશા, આત્મા અને મન. ગુણ-પચ્ચીશ છેઃ સ્પર્શ, રસ, રૂપ, ગંધ, શબ્દ, સંખ્યા, સંગ, વિભાગ, પરિમાણ, પૃથકત્વ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઇચ્છા, ધર્મ, અધર્મ, પ્રયત્ન, સંસ્કાર, કેપ, સ્નેહ, ગુરૂત્વ, કત્વ અને વેગ. - કર્મ ૩૮–-પાંચ છે, ઉલ્લેપણ, અવક્ષેપણ, આકુંચન, પ્રસારણ અને ગમન. - સામાન્યએ છેઃ પરસામાન્ય ૩૯ અને અપસામાન્ય. સવિશેષ એટલે બીજાથી વિશેષતા જણાવનારું નિશાન–આ નિશાન નિત્ય પદાર્થોમાં રહેનારું છે. ૩૭. આ દર્શનનું બીજું નામ “પાશુપત’ કે ‘કાણાદ’ દર્શન પણું છે. આ દર્શનને અનુસરનારા સાધુઓના વેષ અને આચાર સંબધે “નૈયાયિક દર્શન ” ઉપરના ટિપ્પણ પ્રમાણે સમજી લેવાનું છે. ૩૮. “ક” શબ્દ અહીં “ક્રિયા ” ને સૂચવે છે. ઉપર જણાવેલાં પાંચ કર્મોમાં સંસારની ક્રિયામાત્રનો સમાવેશ થઈ શકે છે. ઉલ્લેપણુ–ઉંચે ફેંકવું, અવક્ષેપણુ–નીચે ફેંકવું, આકુંચન-સંકોચાવું, પ્રસારણ–ફેલાવું અને ગમનગતિ કરવી–ગમે તે રીતની ગતી કરવી. વધુ વિચાર કરતાં તે ગતિ” ના અર્થમાં જ બધી ક્રિયાઓ સમાઈ જાય છે. ' ' ૩૯. વધુ માત્રને જે “સત્તા” ધર્મ તે પર સામાન્ય અને “વ્યસત્તા” “ગુણસત્તા વગેરે જે વિશિષ્ટ સત્તા તે અપર સામાન્ય–વધારે વ્યાપક સત્તા તે પર સામાન્ય અને અલ્પવ્યાપક સત્તા તે, અપર સામાન્ય. “સામાન્ય” એટલે સરખાઈ અને “પર” એટલે મુખ્ય અથવા સૌથી વધારે પરમે. પદાર્થોની પરસ્પર સરખામણી કરતાં જે સરખાઈ સૈાથી વધારે જણાવી હોય-એટલે જે સરખાઈ સૌ પદાર્થમાં ઘટી શકતી હોય–તે “પરસામાન્ય અને તે સિવાયનું અપસામાન્ય. ૪૦. સરખા આકારવાળા, સરખા ગુણવાળા અને સરખી ક્રિયાવાળા પરમાણુઓમાં તથા મુક્ત આત્માઓમાં આ વિશેષને લીધે તેની પરસ્પરની વિલક્ષણતા જણાઈ આવે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy