________________
અનુમાન એટલે કઈ પ્રકારના નિશાનથી થનારૂં જ્ઞાન. ૨ નયાયિક દર્શન: - નૈયાયિક દર્શનમાં મુખ્ય દેવતા શિવ” છે–એ સંસારને સરજનહાર છે, નાશ કરનાર છે અને પાલનહાર પણ છે–વ્યાપક છે, નિત્ય છે, એક છે, સર્વજ્ઞ છે અને એની બુદ્ધિ શાશ્વતી છે.
૫. નૈયાયિક દર્શનના અનુયાયી સંન્યાસિઓને વેષ અને આચાર આ પ્રમાણે છે: “એઓ નિરંતર દંડનું ધારણ કરે છે, મોટી લગોટી પહેરે છે, શરીરે કામળી ઓઢે છે, જટા વધારે છે, શરીરે રાખ ચોળે છે, જનોઈ પહેરે છે, હાથમાં જલપાત્ર–કમંડલુ-રાખે છે, રસકસ વિનાનું ભોજન લે છે, ઘણું કરીને વનમાં જ રહે છે, હાથમાં તુંબડું રાખે છે, કંદમૂળ અને ફળ ઉપર રહે છે અને પરેણુગત કરવામાં ઉક્ત હોય છે. એઓ બે જાતના હોય છે. સ્ત્રી વિનાના અને સ્ત્રીવાળા. તે બન્નેમાં સ્ત્રી વિનાનાને ઉત્તમ ગણવામાં આવે છે, એ જ બ્રહ્મચારી સંન્યાસિઓ પંચાગ્નિતપ તપે છે અને હાથમાં તથા જટામાં પ્રાણલિંગધર (?) હોય છે. જ્યારે તેઓ સંયમની પરાકાષ્ટાએ પહોંચે છે ત્યારે તે નાગા જ રહે છે અને દાતણ કરીને, હાથ માં છેઇને, શરીરે ભસ્મ લગાડીને શિવનું ધ્યાન કરે છે. તેઓને યજમાન જ્યારે નમસ્કાર કરે ત્યારે તે 3 નમઃ શિવાય’ એમ બોલે છે અને એ સંન્યાસી તે માત્ર “નમઃ શિવાય” એમ બોલે છે. એઓ “ઇશ્વર'ના અઢાર અવતારને આ પ્રમાણે ગણવે છે. નકુલી, શિક, ગાર્ચ, મૈત્ર્ય, (અ) કરૂષ. ઇશાન, પારગાર્ચ, કપિલાંડ, મનુષ્યક, અપરકુશિક, અત્રિ, પિંગલાક્ષ, પુષ્પક, બૃહદા(ચા)ર્ય, અગસ્તિ, સંતાન, રાશકર અને વિદ્યાગુરૂ. એ સાધુઓ તપવિઓ” પણ કહેવાય છે. તેઓના સર્વ તીર્થોમાં પૂજા કરનારા (પૂજાકારીપૂજારી) ભરડાઓ હોય છે. એઓ સન્મુખ રહીને દેવાને નમતા નથી પણ આડે દંડવત કરે છે, તેમાંના કેટલાક વિકાર વિનાના તપસ્વિઓ કહે છે કે, “જ્યાં ગંગા નથી, પણ નથી, કપાલમાં માળા અને ચંદ્રની કળા નથી, (ખળામાં) પાર્વતી નથી, (માથે) જટા નથી, (શરીર) વિભૂતિ-ભસ્મ-નથી અને બીજું પણ કાંઈ નથી તે રૂપ ઈશ્વરનું પુરાણું છે અને મુનિઓ પણ એ જ રૂપનું ધ્યાન કરે છે. જે આ રૂપ ગંગાવાળું, ફણીવાળું, વા પતીવાળે છે તે તે ઈશ્વરનું અર્વાચીન રૂપ છે અને એ રૂપને તો ભેગલુબ્ધ પુરૂષો મજે છે, એ પરિવઓના પ્રકાર સાર છેઃ શૈવ, પાશુપત, મહાવતધર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org