SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ સમુદય--એટલે રાગ અને દ્વેષ વગેરે કષાયેનું કારણ અમવા મમતા હું અને મારું' એવો ભાવ. માગ–એટલે “સંસ્કાર' માત્ર ક્ષણિક છે–એવી વાસના. નિધ––એટલે સર્વ પ્રકારને નિધિ અર્થાત “નિષેધ” નું બીજું નામ નિર્વાણુ-મુક્તિ. આયતની__બાર છે. પાંચ ઈકિય, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ—એ પાંચ વિષયો, મન અને બારમું ધર્માયતન એટલે શરીર. પ્રમાણુ-બે છે. પ્રત્યક્ષ અને અનુમાન. પ્રત્યક્ષ એટલે કલ્પનારહિત અને ભ્રાંતિ વિનાનું જ્ઞાન. કેલ તરફના દ્ધો પ્રાયઃ હીનયાની ગણાય છે. કલબમાં પ્રસિદ્ધ વિદ્યાપીઠ વિદોદય–પરિવેણુ” નામે છે. અને પ્રસિદ્ધ સાધુ તરીકે એ વિદ્યાપીઠના અધ્યક્ષ સ્થવિર સુમંગલના શિષ્ય સ્થવિર જ્ઞાનેશ્વર છે. એએનું પૂજ્ય વૃક્ષ “પીપળે છે. અનુરાધાપુરના મંદિરમાં અત્યારે પણ બુદ્ધ ગયાથી આણેલી શાખામાંથી ઉગેલા ૨૫-૫૦ પીપળા ઉભેલા છે. ભારતવર્ષમાં કાશી, રાજગૃહી, પાવાપુરી, ચંપાપુરી, શાંબી વગેરે અનેક સ્થળે ભગવાન બુદ્ધ વિહરેલા હોવાથી ત્યાં ત્યાં ખોદ કામ કરતાં અનેક બુદ્ધની મૂર્તિઓ-( ઉભેલી વા બેઠેલી), સ્તૂપ, ધર્મચક્રે અને બીજાં પણ નિશાને મળેલાં છે. શ્રીગુણરત્નસરિજીએ જે બુદ્ધમંદિરે ને સુહાડક’ શબ્દથી લખેલાં છે તેવા પણ અનેક સ્વ મગધ દેશમાં સારનાથ વગેરે અનેક સ્થળે તથા પૂના પાસે કાર્લા વગેરે અનેક ઠેકાણે આજે પણ હયાત છે. કેટલામાં પણ શ્રી બુદ્ધનાં નવાં મંદિરે બહુ સુશોભિત, સ્વચ્છ અને સુગંધવાસિત રહે છે, ત્યાં દરેક પૂર્ણિમાએ લોકોને મેટે સમૂહ દર્શને આવે છે. બૈઠ પુરત કે વિશેષે કરીને પાલી ભાષામાં છે, તે પણ “લંકાવતારસૂત્ર' અને “લલિતવિસ્તર’ જેવાં અનેક પુસ્તકે સંસ્કૃતમિશ્ર પાલીમાં તથા કેટલાક (માધ્યમિકાવૃત્તિ વગેરે) ગ્રંથો તદન સંસ્કૃતમાં પણ વિદ્યમાન છે. “મજિઝમનિકાય' નામના ગ્રંથમાં ભગવાન બુદ્ધ અને ભગવાન જ્ઞાતપુત્ર (મહાવીર) ને પરસ્પર થએલો વાર્તાલાપ જણાવેલ છે-એ બન્ને મહાપુરુષે સમસમથી તો હતા જ. - ૩. “આપ્તન' નામ “સ્થાન'નું છે. ઈદ્રિ વગેરે વિષનાં સ્થાનરૂપ હેવાથી તેને અહીં “આયતન માં ગણવામાં આવી છે. જ “શરીરને જે સદુપયોગ કરવામાં આવે તે તે “ધર્મસ્થાન' થઈ શકે છેમાટે જ એને અહીં “ધયતન? કહે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy