SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ દુ:ખ--શબ્દને ભાવ પ્રતીત છે, તેના પાંચ પ્રકાર છે: ૧ વિજ્ઞાન, ૨ વેદના, ૩ સંજ્ઞા, ૪ સંસ્કાર અને ૫ રૂપ. ૧. “વિજ્ઞાન” એટલે “આ રૂપ, આ રસ” વગેરે જાતનું જ્ઞાન. ૨. “વેદના” એટલે શારીરિક કે માનસિક સુખ દુઃખનો અનુભવ. ૩. સંજ્ઞા એટલે “આ માણસ, આ પશું વગેરે પ્રકારની જુદી જુદી સંજ્ઞા. ૪. “સંસ્કાર” એટલે પુણ્ય વા પાપનો સંસ્કાર. ૫. રૂપ’ એટલે પૃથ્વી, પાણી, તેજ અને વાયુ વગેરે ભૂત. ધર્મરત્ન, બુદ્ધરત્ન અને સંધરત્ન. એમની શાસનદેવી તારાદેવી છે. એમના પ્રાસાદો ગળાકારે હોય છે-એઓને બુદ્ધડક કહેવામાં આવે છે.” – પદ્દર્શનસમુચ્ચયની ટીકા તથા રાજશેખરનો પર્શન–સમુ. ) વર્તમાનમાં આ મતનો પ્રચાર ઘણે વધારે છે. સિંહલદ્વીપ, તિબેટ, આસામ, સિઆમ, બ્રહ્મદેશ, જાપાન અને ચીન તથા યુરોપમાં પણ આ મત ફેલાએલે છે. અત્યારે બધી પ્રજાઓ કરતાં બૌદ્ધપ્રજા સંખ્યામાં ઘણી વધારે છે. આપણા દેશમાં પણ હવે આ દર્શનનો પ્રચાર થવા લાગ્યો છે. વર્તમાનમાં મેં નજરે જેએલા કોલંબે (સીલેન) ના બૌદ્ધ સાધુએને વિષ અને આચાર આ પ્રમાણે છે. તેઓ હાથમાં પ રાખે છે, બેલગાડી વગેરે વાહનોમાં બેસે છે, માથે અને ભમર ઉપર સુદ્ધાં હજામત કરાવે છે, ખાવામાં માંસ લે છે, જમીનને પ્રમાર્જિવા માટે તેઓ હાથમાં ચમર કે બીજું કશું રાખતા નથી, બ્રહ્મચર્ય પાળે છે, પિતાને ઘેર જઈ શકે છે, દસ દસ વરસની ઉમરના પણ કેટલાક બૌદ્ધ સાધુઓને મેં ત્યાં જેએલા છે. કેટલાક ભિક્ષા કરીને ખાય છે અને કેટલાક મઠેમાં ભજન કરે છે. કેલિબે માં ના મેટા મેટ ઘણું “વિહાર” છે, એ સાધુઓ વિશેષે કરીને અધ્યાપનનું અને ઉપદેશનું કામ કરે છે. ત્યાંના કેટલાક મુખ્ય મુખ્ય સાધુઓ મેટાં મોટાં વિદ્યાપીઠો સ્થાપી પાલી ભાષા અને ત્રિપિટક ઉપરાંત સંસ્કૃત ભાષાને પણ શીખવવાને પ્રયાસ કરે છે. ત્યાં ચાલતાં શ્રદ્ધપુસ્તકે વિશેષે કરીને પાલીભાષામાં અને સિંહલી લિપિમ લખાએલાં છે. સમસ્ત બૈદ્ધ પુસ્તકો ત્રણ વિભાગમાં વહેંચાએલાં છે. સુત્તપિટક (જેમાં શ્રી બુદ્ધના વિહારે–પ્રવાસે--અને ઉપદેશનું વર્ણન છે), વિનયપિટક (જેમાં શ્રી બુદ્ધના અનુયાધિઓએ પાળવાના આચાર તથા પ્રાયશ્ચિત્ત વગેરેનાં વિધાન છે) અને અભિધમ્મપિટક ( જેમાં શ્રીબુદ્ધ-ધને લગતું તત્ત્વજ્ઞાન નેંધાએલું છે.) હાલના બેહ ભિએ બે પ્રકારે વહેચાએલા છે હીનયાન અને માહયાત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy