________________
- ગ્રંથપ્રવેશ અને દર્શનેને પરસ્પર સમન્વય. દઃ
આ પુસ્તકમાં આવેલા વિચારો અને તે દર્શને ” પર છે, એને સરળતાપૂર્વક સમજવા માટે અને દર્શનોનો પરસ્પર સમન્વય કરવા માટે અહીં તે તે દર્શનેની મુખ્ય મુખ્ય માન્યતાઓ જણાવવી આવશ્યક છે અને તે બધી શ્રીહરિભદ્રજીના જ શબ્દોમાં ટુંકામાં આ પ્રમાણે છે : ૧. બદ્ધદશન: - બૌદ્ધમતમાં મુખ્ય દેવતા સુગત છે, એ સુગદેવે ચાર આર્ય–સત્યને જણાવેલાં છે. ૧ દુ:ખ, ૨ સમુદય, ૩ માર્ગ અને ૪ નિષેધ.
૧. દર્શને સંબધે આ ઉપર જે લખણ લખેલું છે તે શ્રીહરિભદ્રરિકૃત ‘પદર્શનસમુચ્ચય” ના મૂળનું સંક્ષિપ્ત ભાષાંતર માત્ર છે.
૨. વર્તમાનમાં બૌદ્ધદર્શનના મુખ્ય પુરૂષ તરીકે ભગવાન બુદ્ધને ગણવામાં આવે છે. એમનો જન્મ મગધદેશમાં “ગયા” પાસેના “કપિલવસ્તુ ગામમાં થએલે હતા. એમનું મૂળ નામ સિદ્ધાર્થ ' છે. એમના પિતાશ્રીનું નામ શુદ્ધોદન અને માતાજીનું નામ માયાદેવી છે. એમનો અંશ શાક્ય છે, જાતિ ક્ષત્રિય છે અને ગોત્ર ગૌતમ છે. એમના પિતા શુદ્ધોદન કપિલવસ્તુના રાજેન્દ્ર હતા. આ મહાપુરૂષનું ચરિત્ર સંસારપ્રસિદ્ધ છેવાથી અત્રે એ વિષે લખવું પુનરૂક્ત જેવું છે. એમના અન્યાયી સાધુઓને “
ભિખું” શબ્દથી અને ગૃહસ્થોને ઉપાસક” શબ્દથી ઓળખવામાં આવે છે. ભગવાન બુદ્દે અહિંસા ને જ પરમધર્મ ગણેલે છે. આ મહાપુરૂષ આત્મવાદી છે, તે પણ તેમની પછીના તેમના કેટલાક અનુયાયિઓની તકજાળને લીધે તેમના ઉપર “અનાત્મવાદી” તરીકે જે આપ આજ ઘણું વખતથી મૂકવામાં આવેલ છે તે અવિવેકથી થએલે છે અને ખેટે છે. એ માટે એમના પાલી ભાષામાં લખાએલા ગ્રથને મનનપૂર્વક વાંચવાની પાઠકેને વિનંતિ કરવામાં આવે છે. એમના અનુયાયી ભિક્ષુઓના વેષ અને આચાર સંબંધે શ્રીગુણરત્નસૂરિ જણાવે છે કે, “ૌદ્ધભિક્ષુઓ ચમર રાખે છે, બેસનને ચામડાનું આસન રાખે છે, હાથમાં કમંડલુને ધારણ કરે છે, માથે હજામત કરાવે છે, ઘુંટી સુધી લાંબા ગેરૂઆ રંગના કપડાં પહેરે છે, સ્નાન વગેરે શાચ વિશેષ કરે છે. એઓ આહારમાં માંસને પણ ખાય છે, માર્ગમાં ચાલતી વખતે જીવદયા માટે, જમીનને પ્રમાજીને ચાલે છે, બ્રહ્મણ્ય વગેરે પિતાની ક્રિયામાં એઓ વિશેષ દઢ. હોય છે. એઓ ત્રણ રત્નને માને છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org