________________
કહેવાય અને કારણ સિવાય જ કપડાને ઉપયોગ કરવામાં આવે તે તે
ખ્ખી નામર્જાઈ છે. આ ઉપરાંત એમણે પોતે બનાવેલાં અષ્ટમાં અને ષોડશક વગેરે ગ્રંથમાં શ્રીજિનપૂજા, જૈન સાધુની ભિક્ષા, શ્રીજિનબિંબપ્રતિષ્ઠિા, શ્રીજિનગૃહ, શ્રી જૈન દીક્ષા વગેરે અનેક વિષયો સંબંધે પિતાના સ્પષ્ટ અને સત્ય વિચારોને જણાવીને તે તે ક્રિયાને લગતું તે સમયે ચાલતું અંધારું નાબૂદ કર્યું હતું. ભગવંત શ્રી મહાવીર પછીની આચાર્ય પરંપરામાં થએલા આ પ્રથમ સુધારકને અસ્ત થયા પછી પણ સમયે સમયે શ્રી જગચંદ્રસૂરિ, અભયદેવરિ, જિનવલભસૂરિ, મહેદ્રસિંહસૂરિ, મેરૂતુંગસુરિ અને તદન છેલ્લા પંડિત શ્રી સત્યવિજયજી ગણી વગેરે અનેક સુધારક પુરૂષ થઈ ગયા છે, તે પણ સૂર્યાસ્ત થયા પછી જેમ રાત્રીની પરંપરા આવ્યા કરે છે તેમ ભગવંત શ્રી મહાવીરના શાસનમાં વર્તમાન આ ભીષણ રાત્રીને નાબૂદ કરવા માટે હવે તે જરૂર એક શ્રીહરિભદ્રજી જેવા વીર સુધારક કયાંયથી પણ આવવા જોઈએ.
ગ્રંથકાર-શ્રીહરિભદ્રજીએ સ્વતંત્ર રીતે ન્યાય, ગ, ધર્મશાસ્ત્ર અને ધર્મકથાસાહિત્ય વગેરે અનેક વિષયોને લગતા-લખેલા મર્મસ્પર્શ ગ્રંથે આજ પણ હયાત છે-એ ગ્રંથો લખવા ઉપરાંત તેમણે જૈન-આગમ ઉપર સવિસ્તર અનેક ટીકાઓ કરી છે–ખરું કહીએ તે જૈન-આગમો ઉપર ટીકાની પહેલ કરનાર આ જ મહાપુરૂષ હતા. પ્રખર તાર્કિક બૌદ્ધઆચાર્યોના ગ્રંથ ઉપર ટીકા રચેલી છે. એવું એક પણ દર્શન નથી-જે વિષે એમણે પિતાના ગ્રંથમાં ચર્ચા ન કરી હોય. સ્વ. રા. મણિભાઈ નભુભાઈએ એમના “શાસ્ત્રવાર્તાસમુચ્ચય” ને જે હેત તે તેઓ કદી પણ એમને “વેદાંતશાસ્ત્રના અનભ્યાસી” તરીકે જણાવવાનું સાહસ ન કરત. એમનું ગ્રંથકાર તરીકેનું જીવંત ગૌરવ તો એમના ગ્રંથોની સૂચી ઉપરથી જ તરી આવે છે-જે હવે પછી લખવામાં આવનારી છે.
શ્રીહરિભદ્રજીના એ ગુણ ઉપરાંત એમની મધ્યસ્થતા, ગુણગ્રાહિતા, ભક્તિપ્રિયતા, કમળતા, યોગાનુભૂતિ વગેરે અનેક ગુણોને પણ આજે એમના ગ્ર અવિરતપણે ગાઈ રહ્યા છે. બૌદ્ધો ઉપરનો એમનો પ્રકોપ એ તદન છેલ્લો જ પ્રકેપ હતો, એ હકીકત આપણે એમની “સમરVચ્ચકહા દ્વારા જાણી શકીએ
૧. આ વિષે વિષે શ્રીહરિભજીનાં અષ્ટમાં, ડિશમાં અને પચારોમાં વીગતવાર જણાવેલું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org