SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ '“ તે કપિલ, દિવ્ય મહામુનિ હતા માટે જ એમણે કહેલા પ્રકૃતિ વાદને પણ એ રીતે સત્ય જ સમજવો જોઈએ.”—શા સ્ત, ૩, ૪૪. “ર તે બુદ્ધ, મહામુનિ હતા માટે જ એમણે જણાવેલ વિજ્ઞાનવાદ ન્યાપ્ય ન હોય એમ ન હોય ”—શા સ્તર ૬, ૫૩. એ રીતે શુન્યવાદ પણ કેટલાક મુમુક્ષુઓના હિત માટે એ તત્ત્વવિધી મહાત્માએ કહેલું જણાય છે”—શા સ્ત, ડ ૬૩. “૪ સંસ્કારના પ્રવાહમાં તણાતી જીવ માત્રની વિષમતિ, સર્વત્ર સમતાભાવને ધારણ કરે–એ જ એક ઉદ્દેશથી તે તે શાસ્ત્રકારોએ “અત” ની દેશના કરેલી છે”—શા સ્ત, ૮, ૮. શ્રીહરિભદ્રજીની આ જાતની સમન્વય કરવાની વૃત્તિથી જ આપણે તેઓના પક્ષ હૃદયની પણ ઉદારતાનું માપ પ્રત્યપણે કાઢી શકીએ છીએ. હું તો માનું છું કે, શ્રી મહાવીર ભગવંતના શાસનસંરક્ષક આચાર્યોમાં જે કઈ આવો ઉદારમતવાદી ય વા જે કઈ આ સમન્વયશીલ નિરીક્ષક હોય તો તે આ એક જ શ્રીહરિભદ્ર છે. તે પછી અત્યારસુધીના સમયમાં કઈ માતાએ એવા ઉદાર-કહિતકર અને ગંભીર નિરીક્ષકને જન્મ આ જ નથી, એ દેશનું, ધર્મનું અને સમાજનું મહાદુભાય છે!!!!! વર્તમાનમાં જે ધાર્મિક કલેશ પદે પદે ઉભો થાય છે, એક બીજા સંપ્રદાયો પરસ્પર ઘસાઈ મરે છે અને વધતા જતા ભૂખમરાની પેઠે આત્મઘાતી ધર્મમેહ વધતા જાય છે-તે બધું જે ઉપશમાવવું હોય, ધાર્મિક શાંતિને મેળવવી હોય અને જે આત્મરાજ્ય પ્રાપ્ત કરવું હોય તો પ્રત્યેક ધર્માચાર્યે શ્રીહરિભદ્રજીની સમન્વય શૈલીને અનુસરવી જોઈએ-તાઓને પણ તે જ પ્રમાણે ઉપદેશ સંભળાવ જઈએ. ૨. “gવં પ્રતિવારો વિશેઃ સત્ય જીવ હિં. ___ कपिलोक्तत्वतश्चैव दिव्यो हि स महामुनिः ” । २. न चैतदपि न न्यायपं यतो बुद्धो महामुनिः। . ३. एवं च शून्यवादोऽपि तद्विनेयानुगुण्यतः।। ___ अभिप्रायत इत्युक्तो लक्ष्यते तत्त्ववेदिना ।। ४. अन्ये व्याख्यानयन्त्येवं समभावप्रसिद्धये । अद्वैतदेशना शाग्न निर्दिष्टा न तु तत्त्वतः ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy