SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ 31 હરિભદ્રના ગ્રંથ અને તેમનું જીવન. હમણાં શ્રીહરિભદ્રજી વિષે ઉપર જે લખાયું, તે તેા બીજા ખીજા ગ્રંથાના અનુવાદરૂપ હતું. કાઇ સમર્થ વ્યકિત માટે ક્રાઇ ખીજાએ લખેલું લખવું વા કાઇ ખીજાએ સાંભળેલું લખવું, તે કરતાં તે વ્યકિતના શબ્દદેહ દ્વારા જ જો તેના અંતરાત્માને ઓળખી આલેખવામાં આવે તે તેમાં પ્રામાણ્યને અંશ વધારે હાઇ શકે છે. શ્રીહરિભદ્રજીના શબ્વેદેહને તા અત્યારે પણ આપણે ઉકેલી શકીએ છીએ, તે તે દ્વારા તેમના સ્વભાવનું ચિત્ર ઘેરવું એ અહીં અસ્થાને પ્રેમ ગણાય ? સમજાવનાર—સમજ શક્તિને કેળવીને સમજુતી ગણનામાં આવનારા તે ઘણા ય મળી રહે છે, પરંતુ પેાતાનું સમજેલું બીજાને સમજાવનારા-શાંતપણે અને મધ્યસ્થપણે ખીજાને ગળે ઉતારનારા વિરલા મનુષ્યા હાય છે, શ્રીહરિભદ્રજી એ વિલામાંના એક અદ્વિતીય સમજાવનાર હતાઃ શાસ્ત્રવાર્તાસમુચ્ચય’ના ત્રોજા સ્તંબકમાં (પ્રારંભમાં) ષ્ટિ અને તેના સર્જનહાર વિષે જે ચર્ચા આવેલી છે, તેને વાંચવાથી સમજાવવાની કળા વિષેનું તેમનું સિદ્ધહસ્તપણુ અત્યારે પણ પ્રત્યક્ષજેવું જણાઇ આવે છે. કાઇ પણ સિદ્ધાંતભેદને ચર્ચતી વખતે ાઇ વાદી કે પ્રતિવાદીના નામનેા ઉલ્લેખ તે આ ગ્રંથમાં કરતા નથી—ખીજાતે તા ઠીક, ‘જૈન’ વાદીને પણ તેઓએ ‘અન્ય' શબ્દમાં રગેલા છે. એ સર્જનહારને લગતી જે ચર્ચા એ ગ્રંથમાં આવેલી છે તેને સાર આ પ્રમાણે છે: (શ્રીહરિભદ્રજીને કાઇએ નમ્રભાવે હ્યું કે, મુનિજી ! આપ મને ઇશ્વર વિષે સમજાવવાની કૃપા કરા, તેા તેઓએ એ વિષે આ પ્રમાણે કહ્યું:) (બાપુ ! ઇશ્વર તેા આપણે માટે પરાક્ષ છે. એ વિષે તે આપણે ત્યરે જ સમજી શકીએ-જ્યારે આ આપણા મલિન અત્મા નિર્મળ થાય— તદન સંશુદ્ધ થાય—એમાં એક પણ સંસ્કાર કાયા ન રહે--તર્કથી કે શાસ્ત્રીય યુક્તિથી ઇશ્વરને જોવા કરતાં પેાતાના આત્મા દ્વારા જ તેને જોવા એ પ્રયત્ન વિશેષ પ્રામાણિક છે-તાંય હું કહું છું; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy