SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પતિએ તને કહ્યું કે, જે હારનારને પ્રાણ-દંડ મળવાની શરત થાય તે જ અમે શાસ્ત્રાર્થમાં આવીએ. દવે જણાવ્યું કે, “જે હારે તે ધગધગતા તેલના કડાયામાં પડે એવી શરત કરવાથી એને આપોઆપ પ્રાણુદંડ મળી જશે. જે આ શરત આપને પણ સમ્મત હોય તો જઈને રાજા સૂરપાળને જણાવું અને એ સંબંધે બધો નિશ્ચય કરાવી લઉં. હજુ પણ આપ વિચાર કરી શકે છે. વખતે આપનો પણ કડાયામાં પડવાને વારે આવે અને બુદ્ધશાસનની અવહેલના થવાનો પ્રસંગ આ માટે જે નિશ્ચય કરવો હોય તે ઉતાવળથી ન કરતાં બરાબર વિચારીને કરશે. એ સાંભળતાં જ કુલપતિ પિતાના આસનથી ઉછળ્યો અને વાઘની પેઠે ત્રાડ મારતો બોલ્યોઃ અરે વાચાળ ! તને મારા પાંડિત્યનો પરિચય નથી, તેથી જ તું આમ બબડે છે, તે હવે જ, અને તારા રાજાને કડાયામાં પડવાની શરતે જણાવ, એટલામાં તો હું ત્યાં આવી પહોંચીરો: "વનારીજા વિરતવૃદ્ધિઃ ” બોદ્ધો સાથે શ્રીહરિભદ્રને શાસ્ત્રાર્થ. વાચક ! તે ધર્મમેહ જે, પુત્રમેહ જોયો, હવે તું વિદ્યામદને જે અને આચારમાં આધ્યા વિનાને ધર્મ કેવાં ફળને આપે છે તે પણ નીરખા દતનાં વચનાથી કુલપતિને ગર્વન કસું બે વિશેષ વ્યા, તેના ઘેનમાં તેણે મરણની કે અપતિની જરા પણ દરકાર કર્યા વિના, પિતાનું બળ માપ્યા વિના અને સામાનું બળ જોયા વિના જ શાસ્ત્રાર્થમાં જવાની હા પાડી અને છેવટે તેણે એ તેલના કડીયાને જ પિતાની છેલ્લી પથારી બનાવી. : ( રાજસભામાં સભ્ય, મધ્ય અને પ્રજાને આવવા લાગ્યા, વખત થયે રાજા પણ આવ્યું અને સૌ એ બે મલ્લની કુસ્તી અને તેનું પરિણામ જવાને કાકડળે આતુર થઈ રહ્યા. બરાબર વખત થતાં એ બન્ને વાદિઓ. આવ્યા અને મુકરર કરેલી રીતપૂર્વક શાસ્ત્રાર્થની શરૂઆત પણ થઈ: બૌદ્ધ કુલપતિએ પૂર્વ પક્ષ કરતાં દિનાગાદિને સમ્મત ક્ષણવાદનું સમર્થન કર્યું, તેના ટેકામાં તેણે અનેક યુક્તિપ્રયુક્તિઓ, હેતુઓ, ત, અનુમાનો જણાવી તેને વિશેપ અકાદ્ય બનાવ્યું અને પોતાને પૂર્વપક્ષ પૂરે કર્યો. હવે આડંબર વિનાના સીધા સાદા શ્રીહરિભદ્રજી ઉઠ્યા, તેમણે સભાજનની આશા નિરાશા વચ્ચે જ એ પૂર્વપક્ષનું નિરસન કરવું શરૂ કર્યું, ક્ષણવાદને માનવાથી જે દૂષણે સૌના વ્યવહારમાં આવે છે, તે બતાવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy