SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ સાથે એના મેળાપને સંકર કહેવામાં આવે છે.' વળી, જે રૂપે વસ્તુ ક્રેપ છે તે રૂપે અસદ્રપ પણ છે અને જે રૂપે અસ૫ છે તે રૂપે સપ પણ છે. એમ માનવાથી વ્યતિકર નામનું દૂષણ પણ લાગુ થાય છે. કારણ કે, વિષયમાં એક બીજાના મળી જવાને વ્યતિકર કહેવામાં આવે છે. તથા પદાર્થો માત્રમાં અનેકાંતવાદ માનવાનાં આવશે તા પાણીને અગ્નિરૂપ થવાના અને અગ્નિને પાણીરૂપ થવાના પ્રસંગ ઉભા થશે અને એમ થવાથી વ્યવહારને લેાપ થઇ જશે-એ રીતે વ્યવહારલાપ .નામનું દૂષણ પણુ લાગુ થાય છે. વળી, છેવટે અમે (જૈન સિવાયના) એમ પણ કહીએ છીએ કે, અનેકાંતવાદ પ્રમાણોથી પણ બાધ પામે તેવા છે માટે જ એમાં પ્રમાણ–બાધ નામને રાષ લાગુ થાય છે. તથા, કાઇ એક જ વસ્તુ અનંત ધર્મવાળી હેાય એ અસંભવિત છે માટે અનેકાંતવાદમાં અ×ભવ નામનું દૂષણ પણ લાગુ થાય છે. એ રીતે અનેકાંતવાદમાં એટલાં બધાં દૂષણ! આવતાં હાવાથી તેને સાચે શી રીતે માની શકાય ? માટે કાઇ પ્રકારે અનેકાંતવાદનું ગ્રહણ થઇ શકે તેમ નથી. ઉપર જે જે દૂષણા અનેકાંત-વાદને લગાડવામાં આવ્યાં છે તે ધાં ખેાટાં છે અને તેને ખાટાં કરવાની યુક્તિ આ પ્રમાણે છેઃ—પહેલું તે એ કે, ઠંડક અને તાપની પેઠે સકૂપ અને અસદ્રુપ એ બન્ને ધર્માં એક બીજા કોઇ જાતના વિરાધ જ ધરાવતા નથી. કારણ કે, એ બન્ને એક જ વખતે એક જ વસ્તુમાં રહી શકે છે-જ્યારે ઘડારૂપે ધડે! સત્ છે ત્યારે જ એ ઘડેા કપડારૂપે સત્ નથી-અસત્ છે માટે એમાં કશાં પ્રકારના વિરેધ આવે તેમ નથી. જેમ એક કેરીમાં રૂપ જુદુ હાય છેઅને રમ જુદા હોય છે—એમાં કરો વિરાધ ગણાતા નથી તેમ અહીં પણ સમજી લેવાનું છે. વળી, અહીં વિરાધ આવવાનાં કયાં કયાં કારણા છે ? શું માત્ર જુદા જુદા સ્વરૂપથી વધ આવે છે? એક કાળે ન રહેવાથી વિરાધ આવે છે ? એક વસ્તુમાં ન રહેવાથી વિરાધ આવે છે? એક કાળે એક વસ્તુના એક સરખા ભાગમાં ન રહેવાથી વિરાધ આવે છે? જો માત્ર જુદા જુદા સ્વરૂપને લીધે વિરેધ આવતા હાય તે વસ્તુમાત્ર જુદા જુદા સ્વરૂપવાળી હાવાથી પરસ્પર વિરોધવાળી થવી જોઇએ અને એમ થવાથી સંસારમાં એક પશુ પદાથ ન રહેવા જોઇએ. અને સ્પર્ધા- અને ઉના સ્પ—જુદે જુદે ઠેકાણે એક જ સમયે રહી શકે છે માટે એક કાળે ન રહેવાથી વિધ આવે છે ' એ કથન પણ બરાબર નથી એ અને સ્પર્શે એક જ વસ્તુમાં જુદે જુદે સમયે રહેતા હાવાથી · એક વસ્તુમાં ન રહેવાથી વિરાધ આવે છે એ વાત બરાબર નથી. " . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy