________________
તે બને પણ અનંત છે. અથવા એ ઘડાના જે જે સ્વધર્મો અને પરધર્મો કહ્યા છે, તે ધર્મોને જણાવનારા જેટલા શબ્દો છે, તે બધા ઘડાના સ્વધર્મો છે અને એ સિવાયના જે જે બીજા શબ્દો છે, તે બધા ઘડાના પરધર્મો છે. કેટલાંક દ્રવ્યો (પદાર્થો)ની અપેક્ષાએ ઘડે પહેલે, બીજે, ત્રીજો અને એ રીતે યાવત-અનંતમો છે અને એ બધી સંખ્યા ઘડાના સ્વ-ધર્મો છે અને તે સિવાયનાની અપેક્ષાએ ઘડે અસત છે-એ બધા એના સ્વધર્મો અને પરધર્મો અનંત છે અથવા એ ઘડામાં જેટલાં પરમાણુઓ રહેલાં છે તે બધી સંખ્યા ઘડાને સ્વધર્મ છે અને એ સિવાયની બધી સંખ્યા એને (ધડાનો) પરધર્મ છે. એ પ્રકારે પણ એના સ્વધર્મો અને પરધર્મો અનંત જ ઘટી શકે છે.
જ અનંતકાળથી એ ઘડાની સાથે અનંત પદાર્થોના અનેક સંગે થયા અને વિયેગો થયા-એ બધા ય ઘડાના અનંત સ્વધર્મો છે અને જે જે પદાર્થોની સાથે એના (ઘડાના) સંગો અને વિયેગા નથી થયા એવા પદાર્થો પણું અનંત છે-એ રૂપે ઘડે અસત છે માટે એ ઘડાના પર-ધર્મો પણ અનંત છે. એ બધા વિચાર, શબ્દ, સંખ્યા અને સંગ તથા વિભાગની અપેક્ષાએ કરેલો છે. હવે પરિમાણુની અપેક્ષાએ ઘડાને વિચાર આ પ્રમાણે છે –તે તે પદાર્થોની અપેક્ષાઓ ઘડે નાનો, મોટો, લાંબા અને ટુંકો હોય છે અને એ રીતે તેનું માપ અનંત ભેજવાળું થઈ શકે છે માટે એ બધા ઘડાના સ્વ-ધર્મો છે અને જેનાથી એ ઘડે જુદો પડે છે તે અપેક્ષાએ અસત છે અને તે બધા ઘડાને પરધર્મો પણ અનંત છે. તે તે પદાર્થોની અપેક્ષાએ ઘડે, નજીક, વધારે નજીક, તદન નજીક; દૂર, વધારે દૂર અને તદન દૂર અને તે વળી એક ગા, બે ગાઉ તથા એક એજન, બે રોજન અને અસંખ્ય જન પણ હોઈ શકે છે અને એ રીતે દૂર અને નજીકની અપેક્ષાએ પણ ઘડાના સ્વ-પર્યાયે અનંત છે. વળી, કોઈ પદાર્થની અપેક્ષાએ એ ઘડે પૂર્વમાં છે, કોઈની અપેક્ષાએ પશ્ચિમમાં છે તથા કોઈની અપેક્ષાએ વાયવ્ય ખૂણામાં છે અને કોઇની અપેક્ષાએ ઇશાન ખૂણામાં છે, એ રીતે દિશા અને વિદિશાની અપેક્ષાએ પણ ઘડાના અસંખ્ય સ્વ-પર્યા ઘટી શકે એમ છે. કાલની અપેક્ષાએ પણ ઘડાના સ્વ.ધર્મો અનંત થાય તેમ છે. કારણ કે, કાળના ક્ષણ, લવ, ઘડી, દિન, માસ, વરસ અને યુગ વિગેરે ઘણું ય ભેટ છે અને એ ભેદની અપેક્ષાએ ઘડે બીજા બીજાં સઘળાં દ્રથી પૂર્વ અને પર હોઈ શકે છે માટે જ એના (ઘડાના) સ્વ-ધર્મો અનંત કહ્યા છે. જ્ઞાનની અપેક્ષાએ પણ ઘડાના સ્વ-ધર્મો અનંત હેઇ શકે છે. કારણ કે, છો અનંત છે અને તે બધા પોત પોતાના જ્ઞાનવડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org