________________
લોકમાં વર્તતે પણ આ ઘડે તિર્યકમાં છે માટે એ, એ રૂપે સત છે અને ઊર્ધ્વ કે અલકમાં વર્તવાની અપેક્ષાએ અસત છે. એમાં પણ એ ઘડે જબૂદીપમાં રહેતો હોવાથી એ રૂપે સત્ છે અને બીજા દીપમાં વર્તવાની અપેક્ષાએ અસત છે. એમાં પણ ભરત ક્ષેત્રમાં રહેતા હોવાથી એ રૂપે સત છે અને બીજા ક્ષેત્રમાં વર્તવાની અપેક્ષાએ અસત્ છે. ભરતક્ષેત્રમાં પણ પાટલીપુરમાં રહેતા હોવાથી એ રૂપે સત છે અને બીજા નગરમાં વર્તવાની અપેક્ષાએ અસત છે. પાટલીપુરમાં પણ દેવદત્તભાઈના ઘરમાં રહેતા હોવાથી એ રૂપે સત્ છે અને બીજાના ઘરમાં રહેવાની અપેક્ષાએ અસત છે. ઘરમાં પણ ઘરના એક ખૂણામાં રહેતો હોવાથી એ રૂપે સત છે અને બીજા ખૂણું વિગેરેમાં રહેવાની અપેક્ષાએ અસત્ છે. ઘરના ખૂણુમાં પણ એ, જેટલા આકાશના ભાગને રોકે છે એ રૂપે સત છે અને બાકીના આકાશના ભાગને નહિ રોકવાની અપેક્ષાએ અસત્ છે. એ રીતે ક્ષેત્રની અપેક્ષાએ બીજું પણ ઉચિત ઘટાવી લેવાનું છે-ક્ષેત્રની અપેક્ષાએ ઘડાને પિતાના પર્યાયે થોડા અને પર પર્યાય તે અસંખ્ય છે. કારણ કે, ક્ષેત્રના અસંખ્ય પ્રદેશ છે. અથવા મનુષ્યલકમાં રહેલા ઘડાના, બીજા સ્થાનમાં રહેલાં દ્રવ્યની અપેક્ષાએ અનંત એવા પર પર્યાય છે. એ જ પ્રમાણે દેવદત્તભાઈના ઘરમાં રહેલા ઘડા વિષે પણ સમજી લેવાનું છે અને એ રીતે એના પણ પર-પર્યાય અનંત છે એમ સમજી લેવાનું છે. હવે કાલની અપેક્ષાએ ઘડાની વિચારણું આ પ્રમાણે છે:ઘડો પિતાના દ્રવ્યની અપેક્ષાએ છે, હતા અને રહેશે. એ, આ યુગનો હોવાથી એ રૂપે સત છે અને અતીત (થઈ ગએલ) અને અનાગત (હવે પછી આ વનાર) યુગને ન હોવાથી એ રૂપે અસત્ છે. આ યુગમાં પણ તે ચાલુ વર્ષને છે માટે એ રૂપે સત છે અને ભૂત અને ભવિષ્ય વર્ષની અપેક્ષાએ અસત છે. ચાલુ વર્ષમાં પણ તે વસંત ઋતુમાં બનેલ છે માટે એ રૂપે સત છે અને બીજી ઋતુઓની અપેક્ષાએ અસત્ છે. એમાં પણું એ તાજે છે માટે નવીનરૂપે સત્ છે અને પુરાણ (જૂના) રૂપે અસત્ છે. તેમાં પણ તે આજનો બનેલે હેવાથી એ રૂપે સત છે અને બીજે રૂપે અસત છે. તેમાં પણ તે ચાલુ પળમાં વર્તતે હોવાથી એ રૂપે સત છે અને બીજે રૂપે અસત છે. એ રીતે કાળની અપેક્ષાએ પણ ઘડાના પિતાના સ્વપર્યાયે અસંખ્ય છે, કારણ કે, એક પદાર્થ અસંખ્ય કાળ સુધી ટકી શકે છે. જે એની અનંત કાળ સુધી ટકી રહેવાની કલ્પના કરવામાં આવે તો એના અનંત-૫ર્યાય પણું હોઈ શકે છે અને પરપર્યાય તે અનંત છે. કારણ કે, ઉપર જણાવેલા કાળ સિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org