SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ સંબંધ વિનાના પદાર્થો વચ્ચે પણ પક્ષ અને હેતુને વ્યવહાર ઘટતા માને તેમ હોય તો “કાગડે કાળે છે માટે શબ્દ અનિત્ય હોવો જોઈએ.” એ અનુમાન પણ સાચું થવું જોઈએ. કારણ કે, આ અનુમાનમાં ઉકાળીની જ પેઠે લેકને પણ પક્ષ તરીકે માની શકાય તેમ છે. વળી, એવાં પણ કેટલાંક સાચાં અનુમાને છે કે, જેઓને હેતુ સપક્ષમાં નથી રહે તે પણ સુહેતુ છે. જેમકે શબ્દ અનિત્ય છે, કારણ કે, એ સાંભળી શકાય છે. “ ત્યાં મારો ભાઈ હોવો જોઈએ, કારણ કે, એ સિવાય આ સાદ ન સંભળાય. બધું નિત્યરૂપ અથવા અનિત્યરૂપ હોવું જોઈએ... કારણ કે, એ, સદૂ૫ છે.. એ બધાં અનુમાને સાચાં અને પ્રામાણિક છે, છતાં તેમાં જણાવેલા હેતુઓ સપક્ષમાં નથી રહેતા માટે બીજાઓએ જણવેલાં હેતુનાં એ ત્રણે લક્ષણો બરાબર નથી એટલું જ નહિ ઉલટાં દૂષણવાળાં છે.--એ પ્રકારે અનુમાનનું સ્વરૂપ અને . ભેદ વિગેરે છે. હવે આગમ-પ્રમાણુનું સ્વરૂપ આ રીતે જણાવે છે—આમ પુરૂષના કહેવાથી જાણવામાં આવેલી હકીકતનું નામ “આગમ છે. અને આમ પુરૂષના વચનને પણ કલ્પનાથી આગમ પ્રમાણરૂપ માનવામાં આવે છે. જેમ “અહીં ભોંમાં ભંડાર છે.” વા “મેરૂ વિગેરે છે” એ જાતનું આપ્તનું વચન પ્રમાણુરૂપ મનાય છે. જે પણ વા સ્ત્રી, જેમ પદાર્થ છે તેમ જ જાણે છે અને જેમ જાણે છે તેમ જ કહે છે તેનું નામ આપ મનુષ્ય છે. એ આસ–માતા, પિતા અને તીર્થકર વિગેરે છે–એ પ્રકારે પરોક્ષ પ્રમાણુની બધી હકીકત છે. બીજા શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “જે જ્ઞાન વિવાદ વિનાનું છે અને વ્યવહારની દૃષ્ટિએ સ્પષ્ટરૂપ છે તેનું નામ પ્રત્યક્ષ છે–એ સિવાયનું બીજું જ્ઞાન પરેલ છે” “એ બને જ્ઞાનમાં એટલે પ્રત્યક્ષ અને પક્ષમાં જે જ્ઞાન જેટલું વિવાદ વિનાનું છે તેટલું પ્રમાણભૂત છે અને જેટલું વિવાદવાળું છે તેટલું પ્રમાણભૂત છે.” અર્થાત એક જ જ્ઞાન પણ જે વિષયમાં વિવાદ વિનાનું છે તે વિષયમાં પ્રમાણભૂત છે અને જે વિષયમાં વિવાદવાળું છે તે વિષમાં અપ્રમાણભૂત છે. જેમકે, જે મનુષ્યની આંખે તિમિરનો રોગ થયો હોય તે, બે ચંદ્રને જુએ છે તે એનું ચંદ્રને જોવાનું જ્ઞાન તે પ્રમાણભૂત છે અને ચંદ્રની સંખ્યાને જોવાનું જ્ઞાન તો અપ્રમાણભૂત છે. એ રીતે એક જ વિષયને લગતું એક જ જ્ઞાન પણ વિવાદ અને અવિવાદની દષ્ટિએ પ્રમાણભૂત અને અપ્રમાણભૂત થઈ શકે છે. પ્રમાણની પ્રામાણિકતા અને અપ્રામાણિકતા. તેના વિવાદવાળા અને વિવાદ વિનાના જ્ઞાન ઉપર નિર્ભર છે. અત્યાર સુધીની હકીકત ઉપરથી આ વાત તે ચેસ થઈ કે, પ્રમાણ બે જ છે અને તે એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy