________________
૧૪૫
ઠેકાણું-નદી, સરોવર અને પાણીને કુંડ-એ બધાં વ્યતિરેક દષ્ટાંત છે) હેતુને. ઉપસંહારનું નામ ઉપનય છે અને પ્રતિજ્ઞાન ઉપસંહારનું નામ નિગમન છે. પસ, હેતુ, દષ્ટાંત, ઉપનય અને નિગમન એ પાંચે અનુમાન-જ્ઞાનના અવયવો છે. એનું ઉદાહરણ આ પ્રમાણે છેઃ ૧. પણ –-શબ્દ પરિણામવાળો છે. ૨. હેતુ કારણ કે, એ કરાય છે માટે. ૩. દાંત–જે જે કરાય છે તે બધું પરિણમવાળું છે–જેમ ઘડે. ૪. ઉપનય–શબ્દ પણ કરાય છે ૫. નિગમન-માટે એ પણ પરિણામવાળે હવે જોઈએ. જે જે ચીજ પરિણામવાળી નથી હોતી તે તે કરાતી પણ નથી––જેમ વાંઝણીને પુત્ર અને શબ્દ તે કરાય છે માટે પરિણામવાળો હે જોઈએ-ઇત્યાદિ. બીજા કેટલાક હેતુનાં ત્રણ લક્ષણો જણાવે છે. તેઓ કહે છે કે, “જે ચીજ પક્ષમાં રહેતી હોય, સપક્ષમાં (અન્વયદષ્ટાંતમાં) રહેતી હોય અને વિપક્ષમાં ( વ્યતિરેકષ્ટાંતમાં) ને રહેતી હોય તેનું નામ હેતુ સાધન છે.” પરંતુ તેઓનું આ કથન બરાબર નથી. કારણ કે, કેટલાક હેતુઓ એવા હોય છે કે, જેમાં એ ત્રણે લક્ષણે બરાબર ઘટે તેમ હોય, પણ પિતે જાતે તો કુહેતુરૂપ હોય છે. વળી, કેટલાક હેતુઓ એવા પણ મળે છે કે, જેમાં એ ત્રણે લક્ષણે બરાબર ઘટે તેમ ન હોય તે પણ તે જાતે તો સુહેતુરૂપ હોય છે. જેમકે –આકાશમાં ચંદ્ર છે, કારણ કે, પાણીમાં ચંનું પ્રતિબિબ જણાઈ રહ્યું છે. કૃત્તિકા નક્ષત્રનો ઉદય થયો છે. માટે હવે શકટ નક્ષત્રને પણ ઉદય થ જોઈએ. એક આંબાને કુલ આવેલાં છે માટે એ પ્રમાણે દરેક આંબાને પણ ફુલ આવવાં જોઈએ. ચંદ્રમા ઉગે છે માટે સમુદ્ર ઉછળતો હોવો જોઈએ. સૂર્ય ઉગે છે માટે કમળ ખીલેલાં હોવાં જોઈએ. ત્યાં વસ છે માટે એની છાયા પણ હેવી જોઈએ. એ બને એવાં બીજા પણ અનેક અનુમાનોમાં જે જે હેતુઓ જણાવ્યા છે તેમાં એક પણ હેતુ પક્ષમાં રહેતો નથી. તે પણ એ અનુમાનોમાંનું એક પણ અનુમાન બેટું કે અપ્રામાણિક નથી. માટે જેનોએ ઉપર જણાવેલું જ હેતુનું સ્વરૂપ બરાબર છે. અને જે સ્વરૂપ બીજાઓ જણાવે છે તે બરાબર નથી. કદાચ બીજાઓ એમ જણાવે છે, ઉપર જણાવેલાં દરેક અનુમાનને હેતુ, કાળ,વિગેરે પક્ષમાં રહેલું છે, તો તે પણ બરાબર નથી. કારણ કે, એ અનુમાનોમાં જણાવેલા હેતુ અને કાળ એ બે વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ નથી અને જે જે બે પદાર્થો પરસ્પર કોઈ જાતને સંબંધ ન ધરાવતા હોય તે બે વચ્ચે પક્ષ અને હેતુનો સંબંધ ઘટત આવતો નથી. છતાં જે તેઓ એ બે તદ્દન 9. . P. M. 19
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org