SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ છે (જે પહેલાં શાસ્ત્રવડે સાંભળેલ હતે.) વિગેરે. તર્કનું સ્વરૂપ આ પ્રમાણે છેતર્ક-જ્ઞાન ઉપલંભ અને અનુપલંભથી પેદા થાય છે, (અમુક હોય ત્યારે જ અમુક હોય એ જાતના સહયરપણાનું નામ ઉપલંભ છે અને અમુક ન હોય ત્યારે અમુક ન જ હોય એ જાતના સહચપણનું નામ અનુપલંભ છે) અને એને વિષય સાધ્ય અને સાધનને સંબંધ છે–જે ત્રણે કાળમાં અખંડપણે રહેનારે હોય છે. તર્ક–જ્ઞાનને જણાવવાની રીત આ છેઃ “ આ હોય ત્યારે જ આ હોય –અગ્નિ હોય ત્યારે જ ધમ હોય અને અમિન હોય ત્યારે ધુમાડે પણ ન જ હોય” હવે અનુમાનનાં ભેદ અને સ્વરૂપ' જણાવે છે – અનુમાન બે જાતનું છે-એક સ્વાર્થ-પિતા માટે થતું અને બીજું પરાર્થ–બીજા માટે થતું. હેતુને પ્રત્યક્ષપણે જોઈને અને કાર્ય–કારણના સંબંધને યાદ કરીને ચક્કસરૂપે ઉત્પન્ન થનારું સાધ્યનું જ્ઞાન તે સ્વાર્થ-અનુમાને કહેવાય છે. જેની વિના જેની ગેરહાજરી જ હોય તેને (ગેરહાજરીવાળાને) તેને તેના જ્ઞાનને) હેતુ (નિશાન) સમજવાનું છે. અગ્નિ વિના સદા અને સર્વ ઠેકાણે ધુમાડાની ગેરહાજરી જ હોય છે એમાં ધુમાડાને અગ્નિના જ્ઞાનને હેતુ સમજવાને છેએ હેતુનું સ્વરૂ૫ છે. જે ઈષ્ટ એટલે સંમત હોય, કોઈ જાતના બાધ વિનાનું હોય અને બીલકુલ જાણવામાં ન આવેલું હોય તેનું નામ સાધ્ય છે. જે સ્થાનમાં એવું સાધ્ય રહેતું હોય તેનું નામ પક્ષ છે. જેને માટે ઉપર જણાવેલા હેતુ અને પક્ષના પ્રયોગ થાય છે તે જાતના જ્ઞાનનું નામ પરાર્થ-અનુમાન છે; એ પરાર્થ-અનુમાન શબ્દરૂપ હોવાથી જ્ઞાન ન કહી શકાય, તે પણ તે બીજાને જ્ઞાનનું નિમિત્ત થતું હોવાથી ફક્ત કલ્પનાથી જ પ્રમાણપ કહી શકાય-ખરું પ્રમાણ તો જે જ્ઞાનસ્પ હોય તે જ હોઈ શકે. જે મનુષ્યો ઓછી બુદ્ધિવાળા છે તેઓને સમજાવવા માટે તે પક્ષ અને હેતુ ઉપરાંત દષ્ટાંત, ઉપનય અને નિગમનને પણ પ્રયોગ કરવો પડે છે. દાંતના બે પ્રકાર આ પ્રમાણે છેએક અન્વયેષ્ટાંત અને બીજું વ્યતિરેકદષ્ટાંત. જે જે ઠેકાણે હેતું હોય તે તે ઠેકાણે એમ સાધ્યની પણ હાજરી જણાતી હોય તો તે ઠેકાણુનું નામ અન્વય-દષ્ટાંત છે. અને જે જે ઠેકાણે સાધ્યની ગેરહાજરી થયે ચેકસ હેતુની પણ ગેરહાજરી જણાતી હોય તે તે ઠેકાણાનું નામ વ્યતિરેક-દત છે. (જેમ જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં બધે ઠેકાણે અગ્નિ જણાત હોય કે જગાએ હોય તો ઠેકાણુ-રસોડું, કોઈનું હાટ અને અને કુંડ–આ બધાં અન્વય-દષ્ટાંત છે અને જ્યાં જયાં અગ્નિ ન હોય ત્યાં ત્યાં બધે ઠેકાણે ધુમાડે પણ ન હોય તેવાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy