SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ એ ચાર શબ્દો, અવગ્રહ, ઈહા, અવાય અને ધારસ્વરુપ મતિજ્ઞાનના સૂચક છે” જો કે, સ્મૃતિ, સંજ્ઞા અને ચિંતા વિગેરેને એકને એક જ વિષય છે તે પણ એ બધાં વિવાદ વિનાનાં હેવાથી અનુમાનની પેઠે પ્રમાણુરુ૫ છે. જેમ અનુમાનને વિષય અને તેની પહેલાના જ્ઞાનને એટલે વ્યાપ્તિને મેળવનાર પ્રમાણને વિય–બન્ને એક હેવા છતાં અનુમાનને પ્રમાણુની કટિમાં મૂકવામાં આવે છે તેમ એ સ્મૃતિ વિગેરે માટે પણ સમજી લેવાનું છે. હવે જો એમ ન સમજવામાં આવે તે અનુમાનને પણ પ્રમાણુ શી રીતે માની શકાય? વિવાદ વિનાનાં અને વ્યવહારમાં ઉપયોગી થતાં સ્મૃતિ વિગેરેમાં જ્યાં સુધી શબ્દ, નિમિત્તરૂપે નથી થયે ત્યાં સુધી એ બધાં મતિરુપ છે અને એમાં નિમિત્તરૂપે શબને ઉપયોગ થયા પછી એ બધાં યુવરુપ છે-એ પ્રકારે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને વિભાગ છે. જો કે, એ સ્મરણ, તર્ક અને અનુમાનરુપ સ્મૃતિ અને સંશા વિગેરે એક જાતનાં પરીક્ષાને છે તે પણ અતિજ્ઞાન અને મુતજ્ઞાનના જુદા જુદા સ્વરૂપની સમજણ આપવા માટે અહીં પ્રત્યક્ષાનના વર્ણનમાં પણ તેને જણાવવામાં આવ્યાં છે. હવે પક્ષપ્રમાણુનું સ્વરૂપ અને ભેદ આ પ્રમાણે છે–અસ્પષ્ટ પણ વિવાદ વિનાનું જે જ્ઞાન તેનું નામ પણ છે. તેના પાંચ પ્રકાર છે–સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ. સ્મરણનું સ્વરૂપ આ પ્રમાણે છે –પૂર્વે થએલા સંસ્કારોના જાગવાથી થનારું અને પહેલાંની અનુભવેલી હકીકતને જણાવ. નારૂં જે જ્ઞાન તેનું નામ સ્મરણ છે. એ સ્મરણજ્ઞાનને જણાવવાની રીત આ છે – તે તીર્થકરનું બિંબ છે (જે પહેલાં જેએલું છે). પ્રત્યભિજ્ઞાનનું સ્વરુપ આ પ્રમાણે છે –વર્તમાનમાં થતે અનુભવ અને પૂર્વે જણાવેલું સ્મરણએ બન્નેથી પેદા થનારા અને (પરાક્ષ તથા પ્રત્યક્ષ જ્ઞાનની) સંકલના કરનારા જ્ઞાનનું નામ પ્રત્યભિજ્ઞાન છે. તે જ્ઞાનને શબ્દમાં જણાવવાની રીત આ છે – તે જ આ છે.’ ‘તેની સરખું છે. તેથી જુદું છે અને તેનું વિરોધી છે. જેમ કેતે જ આ દેવદત્ત છે. બાયની જે ગવાય છે. ” “ ગયથી જુદો પાડે છે. “આ આનાથી લાંબું ટુંકે, ઝીણું, મોટુ નજીક કે દૂર છે.” આ અહિં સખત , આ સુખડ સમાધી છે ઈત્યાદિ આ પ્રિયાબિશનમાં ' સ્મરણસહિત અનુમાતથી, અશ્રવા સમરણસહિત શાસ્ત્રથી થએલા પ્રત્યભિષાનને પણ સમાવેશ સંમજી લેવાનો છે. જેમ કે, “આ તે જ અગ્નિ છે” (જેનું જ્ઞાન પહેલાં અનુમાનથી થયું હતું, અને આ (શબ્દ) પણ તે જ અર્થને સૂચવે j. ' ' 0 : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy