SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ નિમિત્ત છે અને ઇહાનાન, અવગ્રહનાનનું ફળ છે—એ જ રીતે હાજ્ઞાન, અવાય જ્ઞાનનું નિમિત્ત છે અને અવાયજ્ઞાન, ઇહાજ્ઞાનનું ફળ છે અને અવાયજ્ઞાન, ધારણા જ્ઞાનનું નિમિત્ત છે અને ધારણાનાન અવાયજ્ઞાનનું મૂળ છે એમ પૂર્વે થએલું જ્ઞાન પ્રમાણુરૂપ-નિમિત્તરૂપ-છે અને પાછળ થતું જ્ઞાન ળરૂપ છે. એ રીતે એક મતિજ્ઞાનના પણ એ ચારે ભેદ છે એમ સમજવાનું છે. એ ચારે ભેદ ક્રમવાર થાય છે અને પરસ્પર જુદા જુદા સ્વરૂપવાળા છે માટે એ અપેક્ષાએ એ ચારેને જુદા જુદા ગણવાના છે અને એ ચારે એક જ આત્મામાં અભેદ ભાવે પેદા થાય છે માટે એ રીતે એ ચારેને પરસ્પર અભિન્ન સમજવાના છે અર્થાત્ જુદા જુદા પર્યાયની અપેક્ષાએ એ યારે જુદા જુદા છે અને એક પર્યાયવાળાની અપેક્ષાએ એ ચારે એક છે એમ સમજવાનું છે. જે એ પ્રકારે કોઇ અપેક્ષાએ એ ચારેમાં ભેદ અને અમેદ-એમ બન્ને ન માનવામાં આવે તે એ ચારેમાં પરસ્પર રહેલા હેતુ-કુલભાવ સંબંધ ધરી શકતા નથી—જે તદ્દન ઉંટ અને હાથીની પેઠે જુદાં હૈાય તે પરસ્પર હેતુરૂપે અને ફળરૂપે હાઇ શકતાં નથી. તેમ જે તદ્દન એક જ હાય એમાં પણ હેતુ-કુળભાવ ટી શકતા નથી. એ માટેજ ઉપર જણાવ્યા પ્રમાણે એ ચારેમાં ભેદ અને અભેદ-એ અન્ને સમજવાના છે. ધારણારૂપ મતિજ્ઞાન, વિવાદ વિનાની સ્મરણુ. શક્તિનું કારણ છે માટે પ્રમાણુરૂપ છે. સ્મરણરૂપ મતિજ્ઞાન, દૂષ્ણ વિનાની વિચાર શક્તિનું કારણ છે માટે પ્રમાણુરૂપ છે. વિચારરુપ મતિજ્ઞાન, દૂષ્ણુ વિનાની તર્ક શક્તિનું નિમિત્ત છે, માટે પ્રમાણષ છે અને એ તર્ક મતિજ્ઞાન, અનુમાન પ્રમાણનું કારણ છે માટે પ્રેમાણુરુપ છે તથા એ અનુમાનરુપ મતિજ્ઞાન, લેવાની, છેડવાની કે તટસ્થ રહેવાની વૃતિનું કારણ છે માટે પ્રમાણુરુપ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, “ મતિ (ધારણા), સ્મૃતિ (સ્મરણ), સંજ્ઞા (વિચાર), ચિંતા (ત) અને અભિનષેાધ (અનુમાનરુપ એ), એ અધા લગભગ એક સરખા ભાવને સૂચવે છે” અર્થાત્ એ બધા શબ્દોને લક્ષ્ય-વિષય-લગભગ એક સરખા હૈાય છે. એ જ્ઞાનનું નિમિત્તે કાઇના શબ્દ (ખેલવું) ન હેાય ત્યાં સુધી તેનું નામ મતિજ્ઞાન છે અને કેટલાક કહે છે કે, - જ્યારે જ્ઞાનનું નિમિત્તે શબ્દ બને છે ત્યારે એનું નામ શ્રુતજ્ઞાન પડે છે. એ શ્રુતજ્ઞાન અનેક પ્રકારનું છે અને અસ્પષ્ટ છે.” સિદ્ધાંતને જાણનારા (સૈદ્ધાંતિક) લોકા તા કહે છે કે—‹ સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા અને અભિનિષેાધ ૧. જૂ તત્ત્વાર્થ સૂત્રના ! લા અધ્યાયનું ૧૩ મું સૂત્રઃ અનુ॰ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy