________________
પરોક્ષ એ બેમાંના કેઈ એક પ્રમાણમાં સમાસ કરી દેવાનો છે. એ રીતે
પ્રમાણ બે છે અને તે એક પ્રત્યક્ષ છે અને બીજી પરોક્ષ છે એ જાતની હકીકતને ઇંદ્ર પણ ફેરવી શકે એમ નથી. હવે પ્રમાણનું લક્ષણ, પ્રકાર અને પેટા પ્રકાર વિગેરે આ પ્રમાણે જણાવે છે –
પિતાના અને 'પરના એટલે બીજાના સ્વરૂપનો નિશ્ચય કરાવનારા જ્ઞાનને પ્રમાણુ કહેવામાં આવે છે. તેમાંના સ્પષ્ટ જ્ઞાનનું નામ પ્રત્યક્ષ પ્રમાણ છે. તેના બે પ્રકાર છે –એક સાંવ્યવહારિક અને બીજે પારમાર્થિક. જે જ્ઞાન, અમને ઇકિય વિગેરેની સામગ્રીથી ઉત્પન્ન થાય છે તેનું નામ સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે. એ જ્ઞાન પળે પળે વ્યવહારમાં આવતું હોવાથી તેને સાંવ્યવહારિક કહેવામાં આવે છે અને એ અપરમાર્થક્ય છે. જે જ્ઞાન, ફક્ત આત્માની સહાયતાથી જ ઉત્પન્ન થાય છે જેમાં એક પણ ઈદ્રિય કે મનની જરૂર રહેતી નથી તેને પારમાર્થિક-નાન કહેવામાં આવે છે. તેનાં નામઃ અવધિજ્ઞાન, મનઃર્યાય જ્ઞાન અને કેવળજ્ઞાન.
સાંવ્યવહારિક જ્ઞાનના બે પ્રકાર છે –
એક ઇદ્રિયથી થનારું અને બીજું મનથી થનારું. તે બન્નેના એક એકના ચાર ચાર પ્રકાર છે-અવગ્રહ, હા, અવાય અને ધારણું. તે પ્રત્યેકનું સ્વરૂપ આ પ્રમાણે છે –અવગ્રહ એટલે તદન ઓછામાં ઓછું અને તદન સાધારણમાં સાધારણ જ્ઞાન અર્થાત ઈયે કે પદાર્થોને રીતસર સંબંધ થતાં જ જે “એ શું?” કે “એ કાંઈક' એવું વ્યવહારમાં ન આવી શકે એવું જ્ઞાન થયા પછી એ જ જ્ઞાન વડે થનારા ભાસનું નામ અવગ્રહ છે–એ અવગ્રહરૂપ જ્ઞાન, નિશ્ચયરૂપ જ્ઞાનનું પ્રથમ પગથિયું છે અને એ અવગ્રહ-જ્ઞાનમાં પદાર્થના જે સામાન્ય પેટા ધર્મો છે તેને અને તદન સાધારણ એવા જે વિશેષ ધર્મો છે તેને જ ભાસ થઈ શકે છે. જે ખરેખર અવગ્રહ થયે હેય તે એમાં ભ્રાંતિ વિગેરે રહી શકતાં નથી. અવગ્રહમાં ભાસમાન થતા પદાર્થ માત્ર દ્રવ્યરૂપ અને પર્યાયરૂપ હોય છે. એ અવગ્રહ થયા પછી એમાં જણાએલી વસ્તુ વિષે સંશય થાય છે કે– એ શું આ હશે ? કે આ હશે ? અને સંશય થયા પછી તે તેર જે વિશેષ જાણવાની આકાંક્ષા હોંશથાય છે તેનું નામ “હા” છે. જે. કાંઈ ભાસ ઈહામાં થાય છે તે તરફના વિશેષ નિશ્ચયનું નામ “અવાય છે અને એ અવાયમાં થએલા ભાસનું જે વધારે વખત સ્મરણ રહે છે તેનું નામ ધારણું છે. આ ચારે પ્રકારમાં પરસ્પર હેતુલભાવને સંબંધ રહેલો છે અર્થાત અવગ્રહશાન, ઈહાણાનનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org