________________
ઉyક
‘સંભવ છે કે, આ દેગામાં ભરેલા ચોખા પેલા માણામાં માઈ જાય આ જાતનાં અટકળિયાં જ્ઞાનોને “સંભવ ” પ્રમાણનું નામ આપવામાં આવે છે. ખરી રીતે તે એ અટકળયાં જ્ઞાન, અનુમાનમાં જ સમાઈ જાય છે માટે એ સંભવ-પ્રમાણને પરોક્ષ પ્રમાણરૂપ અનુમાનથી જુદું કહેવાની જરૂર જણાતી નથી. ઐતિહ્ય પ્રમાણુનું સ્વરૂપ આ પ્રમાણે છેઃ–પહેલાં ઘરડા માણસો એમ કહેતા હતા કે, આ વડના ઝાડમાં ભૂત થાય છે ” આ જાતના બોધનું નામ વિદ્ય-પ્રમાણ છે. હવે જે એ હકીકત કોઈ પ્રામાણિક પુરૂષ કહી હોય તે તે એ આપ્તવાક્યરૂ૫ થવાથી પક્ષના પ્રકારરૂપ આગમ પ્રમાણમાં સમાઈ શકે છે. અને જો એ, એક પ્રકારનો ગ જ હોય તો તે અપ્રમાણરૂપ છે. એ રીતે જે ઐતિહ્ય સાચું છે તે પરાક્ષ-પ્રમાણમાં સમાઈ શકે છે અને જે ખોટું છે તે, પ્રમાણુરૂપ જ નથી માટે ઐતિા પ્રમાણને પણ જુદું ગણવાની જરૂર લાગતી નથી. પ્રાતિભ-પ્રમાણનું સ્વરૂપ આ પ્રમાણે છે:– જ્ઞાન ખાસ કારણ કે નિશાન વિના જ કેઈ કોઈ વાર અકસ્મા ઉગી આવે છે તેનું નામ પ્રાતિભ-( પ્રતિભા વડે થએલું) જ્ઞાન છે. જેમકે, કોઈને સવારમાં ઉઠતાં જ એમ ભાસે કે, આજ તે મારા ઉપર રાજા પ્રસન્ન થશે–એ જાતના જ્ઞાનને પ્રાતિજ જ્ઞાન કહેવામાં આવે છે. આ જ્ઞાન માત્ર મન વડે જ થાય છે. એમાં ઇંડિયે કે એવું બીજું કાંઈ નિમિત્તરૂ૫ હેતું નથી અને એ જ્ઞાન સ્પષ્ટપણે થાય છે માટે એનો સમાવેશ પણ પ્રત્યક્ષ પ્રમાણમાં થઈ શકે એમ છે તેથી જ એને જુદું કલ્પવું ઘટે એમ નથી. વળી, જે પ્રાતિભ-જ્ઞાન મનની પ્રસન્નતા અને મનના ઉગથી થાય છે અર્થાત આજે તે અમથું અમથું પણ મન વિશેષ પ્રસન્ન છે તેથી જરૂર કાંઈ લાભ થવા જોઈએ” અથવા “આજે તે કાંઈ કારણ વિના જ મનમાં ઉચ્ચાટ થયા કરે છે માટે જરૂર કાંઈ ભાડું થવું જોઈએ ” એ જાતનું પ્રતિભ-જ્ઞાન કાર્ય-કારણના જ્ઞાનની જેવું હવાથી ચોકખું અનુમાનરૂપ જ છે, જેમ કેઈ ઠેકાણે ઘણી કીડીઓ ઉભરાઈ જતી જોઇને એમ કહેવામાં આવે કે, હવે વરસાદ થશે, એ જ્ઞાન અસ્પષ્ટ છે અને અનુમાનરૂપ છે તેમ જ એ પ્રતિભજ્ઞાન પણ અસ્પષ્ટ અને અનુમાનરૂપ જ છે. એ જ પ્રકારે યુક્તિ-પ્રમાણું અને અનુપલબ્ધિપ્રમાણુને પણ પ્રત્યક્ષ અને પરોક્ષ-એ બેમાંના ગમે તે પ્રમાણમાં સમાવેશ કરવાનું છે. અને એ ઉપર જણાવેલાં ૧૧ પ્રમાણેથી પણ વધારે પ્રમાણ જે કોઈ બીજાઓએ લખ્યાં હોય અને તે પ્રમાણપણાને મેળવવાની લાયકાત વાળ છે અર્થાત જ્ઞાન થવાનાં સાધનરૂપ હોય તે જ તેને પ્રત્યક્ષ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org