________________
ને લીધે એ શાસ્ત્રોના ઉપયોગી પાઠોને તેમણે કંઇ પણ કરી લીધા, એટલું જ નહિ પણ સાથે સાથે એ શાસ્ત્રમાં આવેલા જૈનમતના પ્રતિવાદને પણ પ્રતિવાદ તેઓએ ટૂંકાક્ષરી પણ ઘણી જ માર્મિક નોંધમાં બે એક પાનામાં લખો નાંખે.
હરિભદ્રના શિષ્યની જિનભકિત અને બૌદ્ધોને પ્રપ.
વાચક! તું એમ ન સમજતો કે, એ બે પાનાં માત્ર કાગળનાં કે તાડનાં પાનાં હતા, એ તો એ બન્ને બંધુઓના વિનાશ માટે જીવલેણું તરવારનાં પાનાં હતાં “વારે વિધ વામનવમેવ”
એ બે પાનાને તેઓ પિતાની જ પેઠે અત્યંત છુપાવીને રાખતા હતા, તે પણ એક દિવસે કોણ જાણે શી રીતે એ બન્ને પાનાં ઉડતાં ઉડતાં કોઈના હાથમાં આવી ગયા–કેમ જાણે પૂ. ગુરૂ બીના અવિયે જ તેને ન ઉડાડ્યાં હોય. પાનાંને લેનાર ભિક્ષુએ એ બન્ને પાનાં કુલપતિની પાસે આણ્યાં, કુલપતિએ તેને અથથી ઇતિ સુધી બરાબર ધ્યાનપૂર્વક જોયાં, તેમાં જણાવેલી માર્મિક યુકિતઓથી તે તે વાંચતા વાંચતે ડે અને પોતાના વિદ્યાપીઠમાં આવા પ્રખર બુદ્ધિમાન વિદ્યાર્થિઓની હાજરી જણ વિસ્મય પણ પા. કિંતુ બીજે જ ક્ષણે તે કુલપતિ ઉપર મiાંધવાએ. હૂમલે કર્યો અને એ લખનારાને પિતાના મતના શત્ર સમજી તેને પ્રાણનાશ કરવાનો તેણે નિશ્ચય પણ કર્યો. ૧૫૦૦૦ વિદ્યાર્થિઓમાં એ પાનાં કોણે લખ્યાં હશે ? તે જાણવું વિશેષ વિકટ હતું, તે પણ કાળના ખાધેલ એ મતiધ કુલપતિને એ વિકટ કામ પણ સુકર થઈ ગયું. વિદ્યાર્થીઓને ચાલવાના ધોરી માર્ગ ઉપર એટલે ચાલવાની જમીન ઉપર તેણે શ્રીજિનપ્રતિમાને આળેખાવી, કે વિધાથી તે ઉપર પગ દઈને નથી ચાલતે, તે બાબતનું ચોકકસ ધ્યાન રખાવ્યું. ભજનને ઘંટ થતાં સઘળા ભિક્ષુઓ ભોજનશાળા તરફ જતાં એ પ્રતિમાને ચાંપી ચાંપીને ચાલવા લાગ્યા, કિંતુ જ્યારે હંસ અને પરમહંસ એ ઠેકાણે આવ્યા ત્યારે એમને તે ભજનના ઘંટને બદલે મરણના ઘંટનું સ્મરણ થયું. એ બન્ને શૂરવીર હતા, એમના હૃદયમાં જિનભકિતની જ્યોત જાગતી હતી. મરણ થાય તો પણ તે પોતે શ્રીજિનની આશાતનાને સખી શકે તેમ ન હતા, તે પિતાને હાથે જ એ આરાતનાને તેઓ કેમ કરી શકે? આ રસ્તે ચાલ્યા સિવાય છુટકે જ ન હોવાથી તેઓએ ખડીવતી પ્રતિમાના કંઠ ઉપર ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org