SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ભાણામાં આવેલા અનુમાન અને આગમ એ બન્ને એક જાતના પક્ષ પ્રમાણ જ છે. ઉપમાન પ્રમાણને તૈયાયિકો માને છે અને તેનું સ્વરુપ આ પ્રમાણે છે–એક શેઠે પિતાના ચાકરને કહ્યું કે, રામુ “ગવયને લઈ આવ... હવે બીચારો આ રામ ગવય’ શબ્દના અને તે જાણતો નથી તે પણ શેઠના હુકમથી એને લેવા માટે ઘર બહાર નીકળ્યો અને રસ્તે ચાલતાં તેણે કઈ બારીને પૂછયું કે, “ભાઈ ! ગવય કેવો હોય છે?” રબારીએ જવાબ આપ્યો કે “જેવી ગાય હોય છે તે જ ગવય હોય છે ” આ પ્રકારના રબારીના કહેવાથી હવે એ રામુ “ગવય” ના અર્થને સમજો અને વનમાં ગાયની જેવા ફરતા કઈ પ્રાણીને “ ગવય” માનીને શેઠની પાસે લાવ્યા. આ રીતના જ્ઞાનનું નામ ઉપમાન-પ્રમાણ છે અર્થાત્ જે જ્ઞાન ફક્ત કોઈ જણાવેલી સરખામણી વડે જ થતું હોય એનું નામ ઉપમાન પ્રમાણ છે. એ ઉપમાન પ્રમાણમાં–એક તો બીજાએ કહેલું યાદ રાખવું પડે છે અને તે વડે જ વસ્તુનું ભાન થઈ શકે છે. ઉપમાન–પ્રમાણનું આ જાતનું સ્વરૂપ તૈયાયિકે માને છે. મીમાંસક મતવાળા તે તેનું સ્વરુપ બીજું કહે છે અને તે આ પ્રમાણે છેઃ—જે ભાઈએ ગાયને જોએલી છે, ગવયને જોયો નથી અને “જેવી ગાય છે તે ગવય છે” એવું વાક્ય પણ સાંભળ્યું નથી. તે ભાઈ, કઈવાર વનમાં ગયો અને ત્યાં એની નજરમાં પ્રથમ “ગવચં' આવ્યું. હવે એ ગવયને જોઈને એને મનમાં એમ થયું કે, “મેં જોએલી ગાય આ પશની સરખી લાગે છે' અથવા “એ મેં જોએલી ગાયની સાથે આ પશુ મળતું આવે છે –આ જાતના જ્ઞાનને મીમાંસક મતવાળા “ઉપમાન” પ્રમાણ કહે છે. અર્થાત આ બીજા ઉપમાન–પ્રમાણમાં ગાયનું પ્રત્યક્ષ જ્ઞાન થયા પછી પક્ષ એવી ગાયનું સ્મરણ કરવું પડે છે અને એમ કરી એ ગાયમાં આની (ગવયની) સરખાઈને આપવી પડે છે. “ આ ગવય ગાયની જેવો છે? અથવા “ એ ગાય આ ગમની જેવી છે એ બન્ને જાતનું ઉપમાન પ્રમાણુ પ્રભિજ્ઞા' નામના જ્ઞાનમાં સમાઈ જાય છે. એ પ્રત્યભિજ્ઞા પણ એક જાતનું પક્ષ પ્રમાણે છે અર્થાત ઉપમાન પ્રમાણુ એ, એક જાતનું પરોક્ષ જ્ઞાન છે. અર્થપત્તિ પ્રમાણનું સ્વરૂપ આ પ્રમાણે છે –જેમ એક મનુષ્ય હોય, તે દિવસે જમ ન હોય અને શરીરે તે રાત ભાત હોય તે આપણે એમ અર્થાત જ કલ્પવું પડે , એ ભાઈ શત્રે જેમ હોવો જોઈએ. આ પ્રમાણમાં કોઈ પણ પ્રમાણે દ્વારા નહીં થએલી"હકીકત વડે તે બીજી હકીકતને કલ્પવી પડે છે-જે પ્રમાણ વડે નક્કી થએલી હકીકતનું ખાસ કારણ હોય છે—જેની વિના પ્રભાણવડે નક્કી થએલી = i , * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy