________________
૧૩૪
છે અને તે વડે જ એ સચ્ચારિત્રને પણ મેળવવાને લાયક થાય છે, ૫૩,
હમણાં જણાવેલાં નવે તવાને જે સ્થિર મનવાળે મનુષ્ય કોઈ પ્રકારની શંકા વિગેરે કર્યા વિના જ જાણે છે અને શ્રદ્ધાપૂર્વક સાચાં માને છે તેને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનને વેગ થવાથી સમ્મચારિત્ર પણ મળી શકે છે. જે મનુષ્ય, એ નવે તને જાણતો હોય પણ શ્રદ્ધાપૂર્વક સાચાં ન માનતે હોય તેને તો મિથ્યાદર્શનવાળે જ માન જોઈએ. એ વિષે શ્રીગંધહસ્તિજીએ (?) મહાતક (1) ગ્રંથમાં આ પ્રમાણે જણાવ્યું છે:
જે એ નવે તને શ્રદ્ધાપૂર્વક સાચાં ન માનતા હોય તેને માટે બારે અંગે પણ મિથ્યા-ખોટાં-છે” ચારિત્રનો અર્થ–પાપની પ્રવૃત્તિથી અટકવું થાય છે. તે બે જાતનું હોય છે –એક તો બધાં પાપથી અટકવારુપ અને બીજું ઘોડાં પાપથી અટકવાપ, જે મનુષ્ય ઉપર જણાવેલું સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન મેળવ્યું છે કે, એ બન્ને જાતના ચારિત્રને મેળવવાને લાયક થાય છે, જ્ઞાન કરતાં પણ સમ્યગ્દર્શન (શ્રદ્ધા) ચડીયાતું હોવાથી એને જ્ઞાનની પહેલાં મૂકવામાં આવ્યું છે અને એ ઉપરથી એમ પણ સમજી લેવાનું છે કે, જ્યાં સમ્યગ્દર્શન અને સભ્યજ્ઞાન હોય ત્યાં જ ચારિત્ર હોઈ શકે છે અને એ સિવાય હોઈ શકતું નથી પર. " તથા પ્રકારના ભવ્યપણાને પરિપાક થયે મનુષ્યને એ ત્રણેવાનાં એટલે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર હોય છે તે મનુષ્ય સમ્યજ્ઞાન અને ક્રિયાના યોગને લીધે મોક્ષનું ભાજન થઈ શકે છે. ૫૪.
જીવના બે પ્રકાર છે. એક ભવ્ય અને બીજો અભવ્ય. જે જીવ અભવ્ય છે તેઓને સમ્યકત્વ વિગેરે હતાં નથી. અને જે છે ભવ્ય છે તેઓને પણ
જ્યાં સુધી તેનું ભવ્યપણું પરિપકવ થયું નથી ત્યાં સુધી સમ્યકત્વ વિગેરે હતાં નથી–તેઓના ભવ્યપણાને પરિપાક થયે તે એ ત્રણેવાનાં-સમ્યકત્વ વિગેરે–ોય છે. ભવ્ય એટલે સિદ્ધિ ગતિ મેળવવાને આત્મા. ભવ્યપણું એટલે મેક્ષને મેળવવાની લાયકાત. એ ભવ્યપણું જીવને એક પરિણામ છે અને તે અનાદિને છે. હવે તથાભવ્યત્વ શબ્દનો અર્થ આ પ્રમાણે છે – ભવ્યપણે તે ભવ્ય જીવ-માત્રમાં છે, પરંતુ એમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ગુરૂ વિગેરેની સામગ્રીને લીધે અનેક પ્રકારની જુદી જુદી શક્તિઓ પ્રગટે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org