SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ તે તદન ખોટું છે. હવે એમ કહેવામાં આવે કે, સ્ત્રીઓમાં ચારિત્ર ભલે હોય, પણ તેઓમાં ઉંચામાં ઉંચું યથાખ્યાત નામનું ચારિત્ર નથી હોતું માટે જ તેઓ પુરૂષથી હીણી હોય છે. તે એ વિષે પૂછવાનું કે, એઓમાં જે ઉંચામાં ઉંચું યથાખ્યાત નામનું ચારિત્ર નથી તેનું શું કારણ છે? શું સ્ત્રીઓની પાસે એ જાતના ચારિત્રને મેળવવાની સામગ્રી નથી? કે એ જાતના ચારિત્રની સાથે સ્ત્રીઓને વિરોધ છે ? એ જાતનું ઉંચું ચારિત્ર મેળવવાનું કારણ એક જાતને એને અભ્યાસ છે અને એ અભ્યાસ (તપ તપવું અને વ્રત પાળવું ) સ્ત્રીઓમાં છે એમ આગળ જણાવી ચૂક્યા છીએ માટે “એ જાતના ચારિત્રને મેળવવાની સામગ્રી સ્ત્રીઓ પાસે નથી” એ કથન તદ્દન ખોટું છે. હવે એમ કહેવામાં આવે છે, એ જાતના ચારિત્રની સાથે સ્ત્રીઓનો વિરોધ છે, તે એ પણ બરાબર નથી. કારણ કે, એ યથાખ્યાત નામનું ચારિત્ર આપણી જેવા નવતરની બુદ્ધિમાં આવી શકે એવું નથી માટે, એને સ્ત્રીઓની સાથે વિરોધ છે એમ શી રીતે કળી શકાય ? અર્થાત ચારિત્ર નહિ હોવાને લીધે સ્ત્રીઓ હિણી છે એ હકીકત તદ્દન ખોટી છે. હવે બીજું એમ કહેવામાં આવે છે, સ્ત્રીઓમાં અમુક જાતનું વિશેષ બળ નથી, તો એ બળ કયા પ્રકારનું નથી ? એ પણ જણાવવું જોઈએ. શું સ્ત્રીઓમાં સાતમી નરકે જવાની શક્તિ નથી એ ? વા સ્ત્રીઓ વાદ વિગેરે નથી કરી શકતી એ ? વા સ્ત્રીઓ ઓછી ભણેલી હોય છે એ? એ ત્રણમાંના જે પ્રથમ પક્ષને કબલ રાખવામાં આવે તે અમે એમ પૂછીએ છીએ કે, સાતમી નરકે જવાનું સામર્થ્ય સ્ત્રીઓમાં કયારે હેવું જોઈએ-જે જન્મમાં મોક્ષે જવાનું હોય તે જ જન્મમાં હોવું જોઈએ ? કે ગમે ત્યારે કહેવું જોઈએ ? જે એમ કહેવામાં આવે છે, જે જન્મમાં મેલે જવાનું હોય તે જ જન્મમાં એ સામર્થ્ય હોવું જઈએ—તો તો પુરૂષને પણ મેક્ષ ન થવું જોઈએ. કારણ કે, એઓમાં (પુરૂષોમાં) પણ જે જન્મમાં મુક્તિ મેળવવાની હોય છે તે જ જન્મમાં સાતમી નરકે જવાનું સામર્થ્ય હોતું નથી. માટે એક જ જન્મમાં મેશે અને સાતમી નરકે જવાનું સામર્થ્ય હોવાનું માનવું યુક્તિયુક્ત નથી. હવે એમ કહેવામાં આવે છે, ક્યારે પણ સાતમી નરકે જવાનું સામર્થ્ય હોવું જોઈએ અર્થાત ઉંચામાં ઉંચા સ્થાનની પ્રાપ્તિ ઉંચામાં ઉંચા પરિણામ વડે થઈ શકે છે અને એવા ઉંચામાં ઉંચાં બે ઠેકાણાં છે-એક બધાં દુઃખનું ઠેકાણું સાતમી નરક અને બીજું બધાં સુખનું ઠેકાણું મોક્ષ. જેમ સ્ત્રીઓ એ પ્રકારના ઉંચા મનોબળની ખામીને લીધે સાતમી નરકે જઈ શકતી નથી, એમ આગમમાં કહ્યું છે. તેમ તે જ પ્રકારના ઉંચા પણ શુભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy