________________
૧૩૦.
મુશ્કેલીથી થાય તેમ હોય તો શું એવું બધાને માટે છે ? કે કેટલાકને માટે છે ? ઘણુ માણસે આગમાં પ્રવેશ કરીને વા બી જે રીતે શરીરને પણ છેડી દેતા જણાય છે માટે એને ત્યાગ કરવો બધાને મુશ્કેલ છે” એમ કેમ કહેવાય ? જે એના ત્યાગની મુશ્કેલી કેટલાકને જ જણાતી હોય તે . રની જ પેઠે વસ્ત્રો પણ ત્યાગ કરવો કેટલાકને મુશ્કેલ છે એમ પણ શા માટે ન મનાય ? હવે એમ કહેવામાં આવે છે, શરીર મુક્તિનું નિમિત્ત છે માટે એને ત્યાગ થઈ શકતું નથી, તે શરીરની જ પેઠે વસ્ત્ર ) ઘણી કર્મક્રિયામાં કારણરૂપ હોવાથી એવી જાતના કેટલાક શક્તિ વિનાના મનુષ્ય માટે ઉપયોગી છે એમ કેમ ન મનાય ? હવે એમ કહેવામાં આવે કે, વસ્ત્રને પહેરવા માત્રથી જ એ પરિગ્રહપ થઈ જાય છે તે એ કાંઈ બરાબર નથી. જો એ બરાબર હોય તે કડકડતી ટાઢમાં ધ્યાન ધરતા કે સાધુને જોઈ “આજે ઘણી સખત ટાઢ છે એવું ધારી કોઈ ભક્ત એ સાધુને કાંઈ ઓઢાડે તો નિસ્પૃહી સાધુ પણ પશ્ચિહવાળે થવા જોઈએ. હવે જે વત્રને અડકવા માત્રથી જ એ પરિગ્રહરૂપ થઈ જતું હોય તે નિરંતર જમીન ઉપર ચાલવાથી એ પણ પરિગ્રહસ્થ થવી જોઈએ અને એમ થાય તે તીર્થકર વિગેરેનો મોક્ષ શી રીતે થઈ શકે ? વળી, એમ કહેવામાં આવે છે, વસ્ત્રમાં જીવની ઉત્પત્તિ થાય છે માટે એ પરિચડરુપ છે તે શરીરમાં પણ બીજા જીવોની એટલે કરમિયા વિગેરેની ઉત્પત્તિ થાય છે માટે એને પણ પરિગ્રહ૫ શા માટે ન ગણવું ? કદાચ એમ કહેવામાં આવે છે, શરીરમાં બીજા ની ઉત્પત્તિ થાય છે પણ તેની તે જતના કરવામાં આવતી હોવાથી શરીર પરિગ્રહસ્પ ન લેખાય. તે પછી વસ્ત્રમાં પણ ઉત્પન્ન થતા જૂ વિગેરે જીવોની જતના થતી હોવાથી તથા એને (વસ્ત્રને) યતનાપૂર્વક સીવવાથી અને ધવાથી જીવની ઉત્પતિ મટી જતી હોવાથી એને પણ શરીરની જ પેઠે અપરિગ્રહરુપ માનવું જોઈએ. માટે વસ્ત્ર હોય તે પશુ ચારિત્રને કશો બાધ ન આવતો હોવાથી વસ્ત્રની હાજરી સાથે ચારિત્રની હાજરી માનવામાં કાંઈ દૂષણ જણાતું નથી. હવે એમ કહેવામાં આવે કે, સ્ત્રીઓમાં શક્તિ નથી માટે એ ચારિત્રને પાળી શકતી નથી, એ પણ બરાબર નથી. કારણ કે, અનેક સ્ત્રીઓ એવી છે કે, જેઓ આકરામાં આકરું વ્રત પાળી શકે છે અને કઠણમાં કઠણ તપ તપી શકે છે માટે એમ તે કેમ કહેવાય કે, એઓમાં ચારિત્ર પાળવાની શક્તિ નથી ? અથોત સ્ત્રીઓમાં ચારિત્ર હતું નથી માટે એ મોક્ષ મેળવવાને યોગ્ય થઈ શકતી નથી, એ કથન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org