SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ કારણ કે, વસ્ત્રને રાખવાથી ચારિત્ર ન હોય તેનું પણ શું કારણ છે ? શું વજ્રને વાપરવા માત્રથી જ ચારિત્ર નથી રહેતું ? કે વસ્ત્રના પરિગ્રહ રાખવાથી ચારિત્ર નથી રહેતું ? હવે આપણે એ વિચારવું ોઇએ કે, સ્ત્રીએ વસ્ત્રને વાપરે છે તેનું શું કારણ છે? તે વસ્ત્રને ત્યાગ નથી કરી શકતી માટે વસ્ત્રને વાપરે છે ? કે સંયત્રની સાધના સુખપૂર્વક થઇ શકે માટે વસ્ત્રતે વાપરે છે? એ એમ કહેવામાં આવે કે, તેએ વસ્ત્રને ત્યાગ નથી કરી શકતી માટે વચ્ચે વાપરે છે તે તે બરાબર નથી. કારણ કે, સ્ત્રીએ તેા ધર્મને માટે પ્રાણાને પણ ત્યાગ કરતી નજરે જોવાય છે તે! પછી એક ચીંથરાને છેડવામાં તેની અશક્તિ છે એમ શી રીતે મનાય? હવે જે એમ કહેવામાં આવે કે, સંયમની સાધના માટે જ તે વસ્તુને વાપરે છે તે પછી એમાં ચારિત્ર નથી એમ શી રીતે કહેવાય ? વળી, જેમ સ્ત્રીઓ સંયમની સાધના માટે વસ્ત્રને વાપરે છે તેમ પુરૂષ! પશુ કેમ ન વાપરી શકે ? એમ કહેવામાં આવે કે, એએ તેા અબળા હોવાથી જે વસ્ત્ર ન વાપરે તે એના ઉપર પુરૂષા જુલમ કરે અને એએના સંની વિરાધના કરે અને પુરૂષ વસ્ત્ર ન વાપરે તે એએના સંયમને કશા આધ આવે તેમ નથી માટે પુરૂષોને સંયમને સાચવવા વસ્ત્રની જરૂર પડતી નથી, પણ સ્ત્રીઓને તે સંયમની રખવાળી માટે વસ્ત્ર રાખવાં જ પડે છે. માટે વસ્ત્ર રાખવું એ ભેજનની પેઠે સંયમનું સાધન હેાવાથી તેની ( વસ્ત્રની ) હયાતીમાં ચરિત્રના અભાવ ક્રમ હાઇ શકે ? હવે એમ કહેવામાં આવે કે, તેની પાસે વસ્રરુપ પરિગ્રહ હોવાથી તેમાં ચારિત્ર નથી હોતું, તે એ વિષે પૂછવાનું કે, શું એને વસ્ત્રમાં મૂર્છા છે માટે એ ( વસ્ત્ર ) પરિગ્રહરુપ છે ? માત્ર તે વસ્ત્રને ધારણ કરે છે માટે એ પરિગ્રહરુપ છે ? વા માત્ર તેએ વસ્ત્રને અડકે છે માટે એ પરિગ્રહરુપ છે? વા એમાં જીવેની પેદાશ થાય છે માટે એ પરિગ્રહરુપ છે? જો એમ માનવામાં આવે કે, તેને વસ્ત્રમાં મૂર્છા છે માટે એ પરિગ્રહપ છે. તે એ વિષે જણાવવાનું કે, જે શરીર છે તે મૂર્છાનું કારણ છે કે ાં ? એમ તે નહિ જ કહી શકાય કે, શરીર મૂર્છાનું કારણ નથી. કારણ કે, એ વિશેષ દુંભ છે અને અંતરંગ છે એટલે વસ્ત્ર કરતાં એ ઘણું પાસેનું સયુ છે. હવે જો શરીરને મૂર્છાને! હેતુ ગણવામાં આવે તે! એ શી રીતે ? જે શરીર મૂર્છાનું કારણ હેાય તે એતે નહિ છેડવાનું શું કારણ ? શું એને ત્યાગ મુશ્કેલીથી થાય એવે! છે ? વા એ મુક્તિનું નિમિત્ત છે ? જો એને! ત્યાગ S, J. P. W. 17 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy