SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ છેલ્લે સમયે તદન ચેડા જ શુકલ ધ્યાનપ તપવડે બધાં કર્મોને ક્ષય થઈ જાય છે. એની સાબીતીમાં જીવન્મુક્તિ અને પરમમુનિ બસ છે. પરંતુ એવા છેડા તપમાં જે કર્મોને નાશ કરવાની શકિત આવે છે તે મેળતાં ઘણે કાયશિખમ પડે છે, અનેક ઉપવાસ કરવા પડે છે અને મરણાંત દુઃખ પણ સહેવું પડે છે માટે બધાં તપમાં કાંઈ એવી શકિત હોતી નથીએથી જ્યાં થોડું તપ હોય ત્યાં બધે ઠેકાણે કર્મક્ષય થવાનું દૂષણ લાગી શકતું નથી. માટે છેવટ એમ માનવું જોઈએ કે, સ્થિર રહેનારી જ્ઞાનની ધારા (અર્થાત વિવિધ જાતના પરિણામને પામતે તે. પણ સ્થિર રહેતે આત્મા) અનેક જાતના તપના અનુષ્ઠાનથી મોક્ષને મેળવી શકે છે અને એને જ અનંત જ્ઞાન, દર્શન, ચરિત્ર અને સુખમય મેક્ષ મળી શકે છે. સમક્ષવાદ - હવે મેક્ષ વિષે દિગંબર જેને જે જાતને અભિપ્રાય ધરાવે છે તે આ પ્રમાણે છેઃ– તેઓ કહે છે કે, શ્વેતાંબર જૈનએ મોક્ષનું જે સ્વરૂપે કહ્યું છે તે તદન સાચું છે, પરંતુ એવો મોક્ષ માત્ર પુરૂષો જ મેળવી શકે છે. શ્વેતાંબરે પણ માને છે કે, એ જાતને મેક્ષ નપુંસક આત્માઓ મેળવી શકતા નથી, કારણ કે, એઓ એટલા બધા નબળા છે, એથી એએમાં આવા ઉચ્ચ સ્થાનને મેળવવાની શક્તિ હોતી નથી. એ રીતે અમે (દિગંબર) પણ કહીએ છીએ કે, સ્ત્રીઓ ઘણું જ નબળી હોવાથી અને નપુંસકોની જ પેઠે શક્તિવિહીન હોવાથી મોક્ષને મેળવી શકતી નથી. આનો જવાબ શ્વેતાંબર જેને આ પ્રમાણે આપે છે–તમે (દિગંબરે) સ્ત્રીઓને નબળી ગણે છો તેનું શું કારણ છે? શું તેઓમાં ચારિત્ર વિગેરે નથી? અમુક જાતનું વિશેષ બળ નથી ? શું તેઓને પુરૂષ પ્રણામ કરતા નથી તેથી તે નબળી છે? શું તેઓ ભણવાનું વિગેરે કરી શકતી નથી તેથી તે નબળી છે ? તેઓની પાસે કોઈ પ્રકારની મોટી ઋદ્ધિ નથી તેથી તે નબળી છે ? વા તેઓમાં કપટ વિગેરેની અધિકતા છે તેથી તે નબળી છે ? જે તમને એમ જણાવે છે, સ્ત્રીઓમાં ચારિત્ર નથી હોતું માટે જ તે નબળી છે. તો એમાં પણ અમારે પૂછવાનું છે તેમાં ચારિત્ર નથી હતું તેનું શું કારણ? શું તેઓ વસ્ત્ર રાખે છે માટે તેમાં ચારિત્ર નથી હોતું ? કે તેમાં શક્તિ નથી હોતી માટે ચારિત્ર નથી હોતું ? જે એમ કહેવામાં આવે કે, વસ્ત્ર રાખે છે માટે તેઓમાં ચારિત્ર નથી હતું, તે તે વાત બરાબર નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy