________________
૧૨
સિદ્ધાંતમાં નાશ થવે એ વસ્તુને જ સ્વભાવ હોવાથી નાશને કોઈ હેતુ કલ્પ એ અનુચિત છે. બીજું તેઓ (બો ) એમ કહે કે, પછી થનારાં રાગ-વિગેરેને અભાવ કરે છે. તો એ પણ અયુક્ત છે. કારણ કે, અભાવ કોઇનાથી થઈ શકતો નથી–એ કાંઈ માટી જે પદાર્થ નથી કે, જે બનાવી શકાય વા નીપજાવી શકાય. ત્રીજુ તેઓ એમ જણાવે છે, એ અનુષ્ઠાને રાગ વિગેરેની શકિતને નાશ કરે છે તે એ પણ રાગ વિગેરે ક્ષણને નાશની અથવા અમાપની જેવું જ અયુકા અને બ્રાદ્ધ સિદ્ધાંતથી વિરૂદ્ધ છે. એ જ પ્રકારે ચોથા અને પાંચમા કથનમાં પણ એ જ દૂષણ આવે છે. વળી તમે વાસ્તવિક સંતાન તે માનતા નથી એથી એનો ઉચ્છેદ કરવાથી કે એને નહિ પેદા થવા દેવાથી પણ શું ? કારણ કે, એ સંતાન તે ભર્યા જેવો જ છે અને ક્યાંય મર્યાને મારવું દીઠું નથી, માટે સંતાનના ઉચ્છેદ રૂપ મોક્ષ પણ ઘટી શકતું નથી. હવે કદાચ તમે ( બોદ્ધો ) છેવટ એમ કહો કે, એ અનુષ્ઠાનો આસ્રવ વિનાની ચિત્તસંતતિને પેદા કરે છે તો એ હકીક્ત કાંઈ વ્યાજબી ગણાય. પરંતુ તે વિષે પણ પણ થોડું પૂછવાનું છે અને તે આ પ્રમાણે છે –એ ચિત્તસંતતિ, બીજી ચિત્તસંતતિ સાથે સંબંધ ધરાવનારી છે? કે એવી નથી ? જે એ, સંબંધ ધરાવનારી હોય તે તે ઠીક જ છે. અને એમ હોય તે જ મેક્ષ ઘટી શકે છે. અને જો એ ચિત્તસંતતિ, બીજી ચિત્તસંતતિ સાથે સંબંધ નથી ધરાવતી તે મેહનું બંધારણ ઘટી શકતું નથી. કારણ કે, ચિત્તસંતતિને એવી ક્ષણિક માનવાથી આગળ જણાવ્યા પ્રમાણે “ કરે કોઈ અને ભગવે કોઈ ” એ મોટે વાંધો આવે છે. વળી તમે ( એ) જે જણાવ્યું હતું કે, “કાયકલેશ એ તારુપ હોઈ શકતા નથી ” એ પણ સાચું નથી. કારણ કે, જે કાયકલેશમાં અહિં સાની પ્રધાનતા હોય છે તે કર્મના પરિણામરુ૫ હે ય તે પણ તપ૫ જ છે. કારણ કે, જે કાયકલેશ વ્રતથી અવિરૂદ્ધ છે તે નિર્જરને હેતુ હોવાથી પરૂપ મનાય છે. આ પ્રકારે તપની વ્યાખ્યા કરવાથી નારકિઓના કાયકલેશને તપમાં સમાવેશ થઈ શકતું નથી, એમાં તો હિંસા વિગેરેના આવેશની પ્રધાનતા હોય છે માટે નારકિઓના કાયલેશ સાથે સત્યુના દેહદમનની સરખામણી કરવી તદન અનુચિત અને અયુક્ત છે. વળી તમે (બોદ્ધાઓ) જે જણાવ્યું કે, “થોડા તેમાં પણ અનેક શક્તિઓનું મિશ્રણ હોવાથી એ વડે જ કર્મોનો ક્ષય કેમ ન થઈ શકે ? તે પણ ઠીક છે. કારણ કે, મોહન તદન ક્ષય થયા પછીના છેવટને સમયે અર્થાત અક્રિયા અવસ્થાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org