SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપw, માનેલા ક્ષણિકવાદમાં કર્તા કોઈ અને ભક્તા કોઈ એવો મટે વધે આવે છે. કારણ કે, જે. કર્તા હોય તે જ ભોગવનાર હોય-એ નિયમ સૈ કેઈન સંમત છે. વળી, એ ક્ષણિકવાદમાં સ્મરણશક્તિ પણ શી રીતે ઘટી શકશે ? કારણ કે, જેણે જોયું છે કે સાંભળ્યું છે તે જ્ઞાનપ્રવાહ ક્ષણિક હોવાથી ટકી શકતા નથી અને એની જગ્યાએ જે બીજે જ્ઞાનપ્રવાહ આવે છે તેણે પૂર્વનું જોયું કે સાંભળ્યું નથી એથી બીજાએ કરેલું બીજ શી રીતે યાદ કરી શકે? સંસારમાં તે એવો નિયમ છે કે, જેણે કરેલું હોય તે જ યાદ રાખી શકે છે અને એ નિયમ સૌ કોઈએ સ્વીકારે છે માટે એ જાતને ઘણું દષવાળો ક્ષણિકવાદ ન માનતાં સ્થિરવાદ માને એ યુક્તિયુક્ત છે. જેમ માળામાં રહેલા બધા મણકા એક દોરામાં પરોવેલા હોય છે અને એમ હોય તે જ એ બધા મણકા ટકી શકે છે તેમ આ જ્ઞાનની ધારાઓ પણ દેરાની જેવા એક આત્મામાં પરેવેલી હોય તો જ રીતસર રહી શકે છે અને એમ માનવામાં આવે તે જ ઉપર જ/વેલું એક દૂષણ આવે તેમ નથી માટે આત્માને ક્ષણિક ન માનતાં સ્થિરવૃત્તિવાળો માનવો જોઈએ અને એમ માન્યા પછી જ મોક્ષની વાતો કરવી એ શોભા આપે એવું છે. વળી, તમે (બહૈ) જે દૂષણ આત્માને માનવામાં જણાવ્યું છે તે જો કે ઠીક છે, કિંતુ એ કાંઈ બધે લાગ્યું પડે તેવું નથી. એ તે જે મૂર્ખ અને અજ્ઞાની છે એને જ લાગુ થાય છે—જે મનુષ્ય અજ્ઞાની છે તે જેમ મૂખે રેગી કુપથ્ય કરે છે તેમ આત્માના સ્નેહને લીધે સંસારમાં જણાતાં દુઃખના સેળભેળવાળાં સુખ-સાધનામાં પ્રવૃત્તિ કરે છે. કિંતુ જે પુરૂષ જ્ઞાની છે અને હિત તથા અહિતને જાણકાર છે તે જેમ ડાહ્યા રોગી નિરંતર કરી પાળ્યા કરે છે તેમ અતાત્ત્વિક સુખનાં સાધન એવાં સ્ત્રી વિગેરેનો પરિત્યાગ કરીને આત્માના નેહને લીધે તદન સુખમય એવા મુક્તિના માર્ગમાં પ્રવૃત્તિ કરે છે માટે આત્માના સ્નેહને લીધે તમે ( એ) જે દૂષણ બતાવ્યું છે તે બરાબર નથી. વળી, તમે જે કહ્યું છે કે, “મુક્તિને મેળવવાની ઇચ્છાવાળા મનુષ્ય અનાત્મપણાની જ ભાવના ભાવવી” એ પણ કાંઈ બરાબર નથી. કારણ કે, જેમ તદન નિત્યપણની ભાવના મુક્તિનું કારણ થઈ શકતી નથી, તેમ તદ્દન અનિત્યપણુની ભાવના પણ મુક્તિનું કારણ હોઈ શકતી નથી. એવી એકાંત નિત્યપણાની કે એકાંત અનિત્યપણાની ભાવના બેટી છે. વળી, એ જાતની ભાવના પણ એક સ્થિર એવા અનુસંધાન કરનાર સિવાય થઈ શકતી નથી માટે તમારે (દ્ધોએ) જો મોક્ષની વાતો કરવી હોય તો એક સ્થિર એવા આત્માને જરૂર માન જોઈએ. વળી, જે બંધાએલે હેય એ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy