SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ માટે મુક્તિને મેળવનારા મળે તો પુત્ર, સ્ત્રી વિગેરે પરિવારને અનાત્મક (આપણે નથી) માનવો જોઈએ અને એ બધું અનિત્ય છે, અશુચિ છે તથા દુઃખરૂપ છે એવો વિચાર કર્યા કરવો જોઈએ-એમ ચિંતવવાથી આત્મામાં સ્નેહ નહિ થાય અને એ જાતના વિશેષ અભ્યાસથી જ વૈરાગ્ય થશે, તેથી ચિત્ત આસવ વિનાનું થશે અને એ જ મુક્તિ છે. હવે કદાચ કોઈ એમ કહે કે, એ ઉપર લખ્યા પ્રમાણે વિચાર ન કરવામાં આવે અને માત્ર શરીરને દુઃખદેવા૫ તપ તપવામાં આવે તો પણ સકલ કર્મને નાશ થવાથી મોક્ષ થવા ઘટે એમ છે માટે એ તપ વડે જ મોક્ષને શા માટે ન મેળવવું? એના ઉત્તરમાં બધે જણાવે છે કે, શરીરને દુઃખ દેવું એ કાંઈ તપ નથી. એ તો જેમ નારકીએ પિતાનાં પૂર્વનાં પાપને લીધે અનેક જાતનું દુ:ખ વેઠે છે તેમ શરીરને દુઃખ દેનારા પણું પોતાનાં પૂર્વકર્મોનું ફળ જ ભોગવે છે-એ કાંઈ તપ કરતા નથી માટે એવા તપવડે મોક્ષ શી રીતે થઈ શકે ? વળી, મેં તે અનેક પ્રકારનાં છે, કારણ કે, તે વડે અનેક જાતનાં જુદાં જુદાં કળ મળી રહ્યાં છે. માટે એવાં અનેક જાતનાં કર્મોને નાશ એક પ્રકારના તપથી જ શી રીતે થઈ શકે? કદાચ એમ કહેવામાં આવે કે, વપમાં અનેક શક્તિઓનું મિશ્રણ થવાથી એ તપવડે કર્મોનો નાશ શા માટે ન થઈ શકે? તો એના ઉત્તરમાં બધે જણાવે છે કે, જે એ રીતે કર્મો નાશ થઈ મોક્ષ થઈ શકતો હોય તે થોડાક કલેશથી પણ બધાં કર્મોને નાશ થવો જોઈએ. કારણ કે, જે એમ નહિ માનવામાં આવે તે અહીં પણ તપમાં અનેક શક્તિઓનું મિશ્રણ છે તેનું શું થશે ? માટે તપથી કર્મને ક્ષય થઈ મોક્ષ થાય એ બરાબર ઘટે એવું નથી. એ જ હકીકત બીજા ગ્રંથમાં ગ્લૅકેવડે જણાવી છે. તાત્પર્ય એ છે કે, જેમાં માને છે તે મોક્ષ યુક્તિયુક્ત જણાતું નથી એથી નિરાત્મભાવનાના પ્રબળપણને લીધે જે ચિત્તની કલેશરહિત અવસ્થા થાય છે તેને જ મોક્ષ માનવો એ બરાબર વ્યાજબી જણાય છે. એ પ્રમાણે કેમ વિષે શ્રધ્ધાને અભિપ્રાય છે. હવે જેને એ અભિપ્રાયનો ઉત્તર આ પ્રમાણે આપે છે–તમે (બૌધ્ધ) આત્માને સ્થિર માનતા નથી અને જે માત્ર જ્ઞાનની ધારાઓ જ માને છે તેમાં ઘણું દૂષણે આવે છે અને તે આ પ્રમાણે છે –જ્ઞાનના પ્રવાહો તે ક્ષણે ક્ષણે પલટ મારે છે એથી જે પ્રવાહ ક્રિયા કરવાનું નિમિત બને છે તે ક્ષણિક હેવાથી ક્રિયાનું ફળ ભેગવવાને રહી શકતા નથી અને જે બીજો પ્રવાહ ક્રિયાનું ફળ ભોગવે છે તે, એને કર્તા લેતા નથી અર્થાત વમણિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy