________________
બાહોનાં અનેક વિદ્યાપીઠ હતા જેમાનું એક વિદ્યાપીઠ તે એવડુ મોટું હતું કે જેમાં ૫૦૦ અધ્યાપકે અને ૧૫૦૦૦ વિદ્યાર્થિઓ રહેતા હતા. શ્રીહરિભદ્ર સૂરિજી પિતે જ બદ્ધદર્શનના પ્રવર અને પ્રખર પંડિત હતા તે પણ એ વિદ્યાપીઠની કીર્તિ સાંભળીને મુનિ શ્રીહંસ અને પરમહંસને તે ત્યાં જઈને જ બાદ– શાસ્ત્રાને જાણવાની તીવ્ર કિંઠા થઈ.
હરિભદ્રના શિષ્ય અને બૌદ્ધવિદ્યાપીઠ. અણજોયું જોવાની, અણકર્યું કરવાની, અણુસાંભળ્યું સાંભળવાની અને અણુખાધું ખાવાની ઇચ્છા સાધારણ માણસોને થયા કરે છે–એ રીતે આ હંસ અને પરમહંસની પણ એ વિદ્યાપીઠમાં જવાની એટલી બધી અનિવાર્ય વૃત્તિ થઈ ગઈ કે પોતાના મહામાન્ય –ગુરૂપ શ્રીહરિમદ્રજીએ તેમ કરવાની અનુમતિ ન દર્શાવી તો પણ તેઓ તે વૃત્તિને વશ ન કરતાં પિતે જ તેના મજબૂતપણે વશવતી બની ગયા–જે શિષ્યએ કોઈ વાર ગુરૂના વચનને અનાદર કરવાનું ઇચ્છવું પણ ન હતું તેઓ જ પોતે આજે તે વચનને ને અનુસરી શક્યા–જે શિષ્યો ગુરૂના વચનને માટે પ્રાણ પાથરવાની ભાવનાવાળા હતા તેઓ જ પતે આજે મહત્તિને વશ બની એ તરફ દુર્લક્ષ્ય કરવા લાગ્યા અને જેમ પેલા પ્રસિદ્ધ સુવર્ણ મૃગે ભગવાન શ્રીરામને પણ ભમાવ્યા હતા તેમ એ બન્ને બંધુઓને એ વ્યામોહના પ્રબળવર સંસ્કારે “વિદ્યાપીઠમાં જઈને ભણવા સિવાય બીજું કશું જ ન સૂઝવા દીધું, ન સાંભળવા દીધું અને ન વિચારવા દીધું. ગુણી તે આ પ્રવૃત્તિમાં પ્રત્યક્ષપણે એમનું અનિષ્ટ જ જોતા હતા, અને એથી જ એમણે માત્ર પુત્રપ્રેમને લીધે તેમ કરવાની ના પણ પાડી હતી.
૧. આ વિદ્યાપીઠ' ના સ્થાન સંબંધે અને તેના કુલપતિ વગેરેને લગતી કોઈ જાતની માહિતી મળી શકી નથી. કોઈ કહે છે કે “ એ બન્ને શિષ્યો બદ્ધાચાર્ય પાસે “ભેટ ' દેશમાં ભણવા ગયા હતા” –(જુઓપિટર્સનમહાશયને ત્રીજો રિર્ટ, પૃ. ૩૫ (કલટની પૃ. ૨૪૭ ની સાક્ષી) એ ઉપરથી ‘ભોટ’ દેશમાં એ વિધાપીઠ” હેવાનું કલ્પી શકાય.
૨. શ્રીહરિભળના તર્કગ્રામાં ભાગ તે બૌદ્ધદર્શન સંબંધી ચર્ચા અત્યારે પણ જોઈ શકાય છે, એ ઉપરથી એમને દર્શનના પાદરી કહેવામાં લેશ પણ અતિશયોક્તિ થતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org