________________
૧૧૯ સુખ માત્રને ઠામુકો અભાવ જ માને છે કે જે સુખો શુભ કર્મનાં પરિણામરુપ છે તેને જ ફક્ત અભાવ માને છે ? જે શુભ કર્મનાં પરિણામ રૂ૫ સુખને જ અભાવ માનતા હો તો એમાં અમારે કશે વાંધો નથી, કારણ કે, અમે પણ એમ માનીએ છીએ કે, મોક્ષદશામાં કઈ પણ કર્મથી પેદા થતાં સુખ તે રહેતાં જ નથી. હવે તમે મોક્ષદશામાં સુખ માત્રને અભાવ માને છે તે અમારે કબૂલ હોઈ શકે નહીં, કારણ કે, તમારે એ પક્ષ છોટે છે. આત્મા સુખસ્વરૂપ છે માટે સુખ એ આત્માને સ્વભાવ છે અને એમ હેવાથી જ એ આત્માના સ્વભાવરુપ સુખને કદી પણ નાશ થઈ શકે નહિ. જેમ આપણે વિષયનાં સુખને અત્યંત ચાહીએ છીએ તેમ સિા કોઈ પોત પોતાના આત્માને પણ અત્યંત ચાહે છે માટે જ એમ સાબીત થઈ શકે છે કે, આત્મા સુખમય છે. જે એ સુખમય ન હોત તે એને (આત્માને) કેઈ પણ ચાહત નહિ. વળી, વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા મુમુક્ષુઓ માત્ર સુખને માટે જ પ્રયત્ન કરી રહ્યા છે અને એ સુખ મોક્ષદશામાં મળે એવું છે. મેક્ષ દશામાં જે સુખ રહેલું છે તે અવધિ વિનાનું છે અને અખંડ તથા ઘણામાં ઘણું છે–એથી વધારે સુખ બીજે કઈ ઠેકાણે સંભવી શકતું નથી. જે જે ગુણમાં તરતમપણું જણાય છે તે ગુણનું વરતમપણે કોઈ ઠેકાણે જરૂર અટકી જવું જોઈએ. જેમ પરિણામનું તરતમપણું આકાશમાં અટકયું છે તેમ સુખનું પણ તરતમપણું ક્ષ—દશામાં અટકયું છે માટે જ મેદશાનું સુખ અવધિ વિનાનું છે એમ કહેવામાં આવ્યું છે. વળી, અમે વૈશેષિકોને જણાવીએ છીએ કે, તેઓએ માનેલી વેદની કૃતિઓ પણ મક્ષ- દશાનાં સુખનું વર્ણન આ પ્રમાણે કરી રહી છેઃ “બ્રહ્મનું રુપ આનંદ છે અને તે મોક્ષદશામાં પ્રકટ થાય છે. તે સમયનું બ્રહ્મનું રૂપ જોઈને બધાં બંધને છૂટી જાય છે અને એ જ વખતે–મોક્ષદશામાં -આત્મા પિતામાં નિત્ય એવા આનંદનો લાભ મેળવે છે” વળી બીજી કૃતિ આ પ્રમાણે છે – “જ્યાં માત્ર બુદ્ધિ જ પહોંચી શકે, ઈદ્રિય ન પહોંચી શકે એવું કદી પણ નાશ ન પામનારું સુખ રહે છે તેનું નામ મોક્ષ છે અને એ મેક્ષને અપૂર્ણ મનુષ્યો મેળવી શકતા નથી ” માટે મોક્ષ સુખમય છે એ વાતમાં હવે કશે વિવાદ કે વાધે રહેતે જણ નથી તેથી વૈશેષિકોએ પણ મોક્ષને સુખમય માનવો જોઈએ અને તેમ કરી વેદની શ્રુતિનું માન જાળવવું જોઈએ.
હવે સાંખ્ય મતવાળાઓને મેક્ષ સંબંધે જે અભિપ્રાય છે તે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org