________________
થયે કઈ જ્ઞાનને ઠામુ નાશ થતે જાણતો નથી તેથી જે ભાવેને ઘેડ પણ ઘટાડો થઈ શકતું હોય તે ભાવને કોઈ વખતે તદન ઘટાડે પણ થવો જોઈએ ” એ જાતનો નિયમ સચવાત નથી અને એમ હોવાથી જ એ નિયમ, રાગ વિગેરેમાં પણ લાગુ થઈ શકે નહિ તેથી, રાગથી વિરૂદ્ધ ભાવના કર્યો પણ આત્માને રાગ વિગેરેને તદન વિયેગ શી રીતે ઘટી શકે? એ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે – આત્મામાં જે જે ગુણો છે તે બે પ્રકારના છે–એક તે આત્મામાં સ્વભાવે કરીને રહેલા અને બીજા બહારનાં નિમિત્તોને લીધે આત્મામાં આવેલા. આ જે જ્ઞાન ગુણ છે તે, આત્મામાં સ્વભાવે કરીને રહેલું છે અને આ જે રાગ દેષ વિગેરે છે તે, આત્મામાં બહારનાં નિમિત્તને લઈને આવેલા છે. જે ગુણો સ્વભાવે કરીને રહેલા છે તેને માટે ઉપર જણાવેલ ઘટાડાને લગતે નિયમ લાગુ થતું નથી. કિંતુ જે ગુણે બહારનાં નિમિત્તને લઈને આવેલા છે તેને જ એ નિયમ લાગુ કરવાનો છે. કારણ કે, જે ગુણે સ્વભાવે કરીને રહેલા હોય છે તે તે સ્વભાવરૂપ હોવાથી કદી પણ ભુંસાઈ શકતા નથી. પરંતુ જે ગુણો નિમિત્તને લઈને આવેલા હોય છે તે બધા તે નિમિત્ત ખસ્યા પછી ખસી જતા હોવાથી તેને માટે જ ઉપર જણાવેલે ઘટાડાનો નિયમ લાગુ થઈ શકે છે અર્થાત્ આત્મા પરિણામી નિત્ય છે માટે ગમે તેવા જ્ઞાનાવરણીય ઉદય થયો હોય તે પણ આત્માના સ્વભાવમૂત જ્ઞાનને નાશ કદી ય થઈ શકે નહિ અને જે રાગ વિગેરે, લેબ વિગેરેનાં કારણોને લીધે આત્મામાં આવેલાં છે તે બધા તો લેભ વિગેરેનો નાશ થયે એક ક્ષણ પણું ટકે તેમ નથીજે જે ભાવે જે નિમિત્તને લીધે આવેલા હોય તે ભાવે પિતાનું તે સહચર નિમિત્ત ન રહે તે રહી શકે જ નહિ. આ નિયમ બધે ઠેકાણે લાગુ થઈ શકે એવે છે અને અહીં રાગ દ્વેષને પણ એ જ નિયમ લાગુ થાય છે. એથી શરીરની પેઠે આત્માને રાગ અને દેશને પણ તદન વિયોગ થાય એમાં કાંઈ અઘટતું નથી. વળી, જે આગળ જણાવ્યું છે કે, “જે અનાદિનું હોય છે તેને કદી પણ નાશ થઈ શકતું નથી” એ નિયમ પણ બરાબર નથી. કારણ કે, * પ્રાગભાવ' નામને અભાવ, અનાદિનો હોવા છતાં નાશ પામે છે-એમ સે કોઈ પ્રામાણિક સ્વીકારે છે. વળી, સેનું અને માટી-એ બેનો સંબંધ અનાદિકાળનો છે તે પણ ખાર અને તાપના પ્રયોગથી એને નાશ થઈ શકે છે–એ સિ કોઈની જાણમાં છે માટે “જે અનાદિનું હોય તેનો નાશ થઈ શકે નહિ' એ નિયમ બરાબર નથી. હવે એમ પૂછવામાં આવે કે, રાગ વિગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org