SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ પાપની હયાતી સાબીત થઈ શકે છે. અથવા છેવટે અમે એમ કહીએ છીએ કે, સર્વજ્ઞ પુરૂષે એ એ તત્વની એટલે પુણ્ય અને પાપની ક્યાતી કહી છે માટે દરેક મુમુક્ષુએ એના કહ્યા પ્રમાણે માનવું જોઈએ. આ વિષે અહીં લખ્યા કરતાં પણ વિશેષ ચર્ચા થઈ શકે એમ છે, પરંતુ લંબાણુના ભયથી એને અહીં લખી નથી, જે ભાઈને એ વિશે ચર્ચાનો રસ હોય તેને વિશેષાવશ્યકની ટીકા જેવાની ભલામણ છે. - હવે અહીં આસ્રવતત્ત્વનું સ્વરૂપ આ પ્રમાણે કહેવામાં આવે છે – “આસ્રવ” શબ્દનો અર્થ આ પ્રમાણે છે –-જેમ કુંડામાંથી પાણી ચૂએ છે તેમ જેમાંથી કર્મો ચૂએ છે તેનું નામ આસ્રવ છે. જે જે કારણેથી. કર્મો ચૂએ છે તેનાં નામ આ પ્રમાણે છેઃ –મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને વેગ. સાચા દેવ, સાચા ગુરૂ અને સાચો ધર્મ એ ત્રણેને સાચા ન માની ખોટા માનવાનું નામ મિથ્યાત છે. હિંસા વિગેરે અશુભ ક્ષિાની પ્રવૃત્તિઓથી ન અટકવું–એનું નામ અવિરતિ છે. વિષયોને સેવા અને મધ પીવું એનું નામ પ્રમાદ છે. ક્રોધ, માન, માયા અને લેભ–એ ચારેને સંગ કરે એનું નામ કષાય છે. મન, વચન અને તનની પ્રવૃત્તિ કરવી એનું નામ ગ છે. ઉપર જણાવેલાં મિધ્યાંત્ય વિગેરે પાંચ, કર્મ બંધનાં (-જે વડે જ્ઞાન ન થાય વા ઓછું થાય એવા જ્ઞાનાવરણીય વિગેરે કર્મને બંધનાં) કારણે છે અને એ બંધનાં કારણોને જ જૈનશાસનમાં આસ્રવ કહે છે અર્થાત મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કપાયની સાથે સંબંધ ધરાવતી તન, મન અને વચનની પ્રવૃત્તિઓ જ શુભ અને અશુભ કર્મનું કારણ હોવાથી આસવરુપ છે. આસ્રવ કર્મબંધને હેતુ છે માટે પહેલાં હેતુ અને પછી કાર્ય રહેવું જોઈએ અર્થાત પહેલાં આસ્રવ અને પછી કર્મબંધએ પ્રમાણે એ બેની હયાતી હોવી જોઈએ. પરંતુ એમ માનતાં આ હરકત આવે છે કે, ક્યાંય બંધ સિવાય આસવ રહી શકતો જ નથી–થઈ શકતા જ નથી માટે પહેલાં કર્મબંધ અને પછી આવ–એ રીતે માનવું પડશે અને એમ માનવામાં પણ આસ્રવ કર્મબંધનો હેતુ કહ્યા છે, તે ગેરવ્યાજબી ઠરશે. કારણ કે, કદી પણ પહેલાં કાર્ય અને પછી હેતુ એ કાર્ય-કારણનો ક્રમ હોઈ શકતા નથી. માટે સ્ત્રી અને કર્મબંધ એ બેનાં સ્થાન શી રીતે ગોઠવવાં? એ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે-જેમ બીજ અને વૃક્ષ એ બેમાં પહેલું કર્યું અને પછી કર્યું એન આરે આવે તેમ નથી, પરંતુ એને પ્રવાહ વહ્યા કરે છે તેમ આસ્રવ અને બંધમાં પણ પહેલું કર્યું અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy