________________
કરવાનું ફળ તેના દરેક કરનારને મળવું જોઈએ. અને જે એ ફળ મળે છે તે જ પુણ્ય અને પાપ સિવાય બીજું કાંઈ હોઈ શકતું નથી. માટે એ યુકિાથી પણું પુણ્ય અને પાપની હયાતી કરી શકે છે.
હવે, કદાચ એમ કહેવામાં આવે છે, જેમ એનું ફળ ચોખા વિગેરે પ્રત્યક્ષરૂપ છે તેમ દાન વિગેરે સારી ક્રિયાનું ફળ લોકમાં દાતારની કીર્તિ અને પ્રશંસા છે અને હિંસા વિગેરે નઠારી ક્રિયાનું ફળ માંસભક્ષણ અને તૃપ્ત છેએમ માનવું અર્થાત એ બન્ને ક્રિયાનાં પુણ્ય અને પાપ જેમાં પરોક્ષ ફળ ન કલ્પતાં ઉપર જણાવેલાં પ્રત્યક્ષ ફળે જ કપવાં એ વધારે યુક્તિ-સંગત છે. વળી લેક–સમૂહ પણ એવી જ પ્રવૃત્તિ કરતા જણાય છે કે, જેનું ફળ નજરો નજર મળતું હોય અર્થાત દાન વિગેરે દેવાની જે ઉધાર ધંધો કરનારા ઘણા ઓછા માણસો છે માટે ખેડ વિગેરે પ્રવૃત્તિની જેવું આ દાન વિગેરે ક્રિયાનું ફળ પણ પ્રત્યક્ષ જ છે અને એમ માનવું જ લેક–સમૂહને માન્ય પણ છે. જેને સિદ્ધાંતની દૃષ્ટિએ તો ઉપરનું કથન તદન ખોટું જણાય છે અને એ આ રીતે છે–તમારા કહેવા પ્રમાણે ખેડ અને વેપાર વિગેરે હિંસાપ ક્રિયા કરનારા ઘણું માણસે છે અને સ્વાર્થ ત્યાગ કરવા પૂર્વક દાન વિગેરે પવિત્ર ક્રિયા કરનારા ઘણુ થોડા માણસો છે એ ઉપરથી જ એમ સાબીત થઈ શકે છે કે, એ હિંસા કિયાનું ફળ, દુઃખનું કારણ પાપ છે. કારણ કે, સંસારમાં સરવાળે સુખી કરતાં દુઃખી આત્માઓ ઘણું વધારે છે અને એ બધા અનેક પ્રકારની હિંસામય ક્રિયાઓ કરી રહ્યા છે. જે હવે તમારી માન્યતા મુજબ એ હિંસાખ્ય પ્રવૃત્તિનું ફળ પાપ ન હોય અને સંસારમાં મળતું જ કાંઈ પ્રત્યક્ષ ફળ હોય તો એ બધા પાપરહિત હોવાથી મરતાં જ સીધા મુક્ત ભાગી જવા જોઈએ અને ત્યાંથી કદી પણ પાછી ન ફરવા જોઈએ. જો આમ થાય તે સંસારને ૧૫ આની ભાગ એ જાતને હોવાથી શીધ્ર મુક્તિ મેળવી શકે અને પછી સંસારમાં ઘણું જ થોડા એટલે કે જેઓ સુખી સુખી છે તેઓ જ આપણી નજરે આવી શકે એથી “સંસારમાં અનંત જીવે છે, એવી ” હકીકત બેટી થી જોઈએ અને એક પણ દુઃખી આપણી નજરે ન દેખા જોઈએ. પરંતુ એમ તે કાંઈ જણાતું નથી એટલે સંસારમાં જતાં માલુમ પડે છે કે, સુખિના કરતાં દુ:ખિઆ અનેક ગણું વધારે છે અને સુખિઆ તે ઘણા થોડા છે. સંસારની આ જાતની દશા ઉપરથી તે ઉલટું એમ ચેકસ થઈ શકે છે કે, જે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org