________________
૧૦૩ વિશેષ સુખ કે દુઃખ આપે છે તે જ ચીજ, બીજા જણને ઓછું સુખ કે દુઃખ આપે છે અને જે એક ચીજ એક મનુષ્યને સુખનું કારણ થાય છે તે જ ચીજ બીજા મનુષ્યને દુઃખનું કારણ થાય છે-દૂધપાક ખાનારે એક મનુષ્ય આનંદ ભગવે છે ત્યારે બીજો મનુષ્ય એને એ જ દૂધપાક ખાઈને દુખ ભગવે છે–રોગી થાય છે. હવે જે તમારા કહેવા પ્રમાણે સ્કૂલ વસ્તુઓ પોતે જ સુખ અને દુઃખનું કારણ થતી હોત તો એક જ ચીજ એકને સુખનું અને બીજાને દુઃખનું કારણ શી રીતે થાય ? માટે છે જાતના સુખ અને દુ:ખનો અનુભવ થવાનું કોઈ બીજું જ કારણ હોવું જોઈએ-જે પરોક્ષ છે અને આ નજરે જણાતા પૂલ પદાર્થોની જેવું
સ્થૂલ નથી. જે એ જાતને એટલે એક જ ચીજથી થતા સુખ અને દુઃખના અનુભવનું કાંઈ પણ કારણ જ ન હોય તે કાંતો એવો અનુભવ જ ન થ જાઇએ અથવા એ અનુભવ રેજ થવું જોઈએ. કારણ કે, જે વસ્તુ નું કે પ્રવૃત્તિનું કાંઈ પણ કારણ ન હોય તે કાંતે ન જ થવી જોઈએવા રોજ થવી જોઈએ—એ અકારણવાદનો નિયમ છે. પરંતુ અહીં તે એવું થતું જણાતું નથી માટે જરૂર એ સુખાદિના અનુભવના કારણને માનવું પડશે અને જે એ કારણરુપે ઠરશે તે પુણ્ય અને પાપ સિવાય બીજું હોઈ શકશે નહિ. શાસ્ત્રમાં કહ્યું છે કે, “સામગ્રીની સરખાઈ હેવા છતાં જે તેના ફળમાં વિશેષતા જણાય છે. અર્થાત જે સામગ્રી કેને વધારે અને કોઈને ઓછું સુખ દુઃખ પેદા કરે છે વા જે એક સામગ્રી એકને સુખી કરે છે અને તે જ સામગ્રી બીજાને દુઃખી કરે છે તે બધું કોઈ ખાસ કારણ સિવાય હોઈ શકે નહિ, હે ગૌતમ! જેમ કારણ સિવાય ઘડે થઈ શકતે નથી તેમ કોઈ પણ કારણ સિવાય ઉપર જણાવેલો વિચિત્ર અનુભવ થઈ શકતો નથી. માટે એ અનુભવનું કાંઈ ખાસ કારણ હેવું જોઈએ અને જે કારણ છે તે જ કર્મ છે.”
વળી, પુણ્ય અને પાપની સાબીતી બીજી રીતે આ પ્રમાણે પણ થાય છે આ વાત તે સૈ કોઇની જાણમાં છે કે, સંસારમાં થતી દરેક પ્રવૃતી ફળવાળી જણાય છે–જેમ ખેડ કરવાનું ફળ (ચેખા વિગેરે) ખેડુતને મળે છે તેમ દાન વિગેરે સારી ક્રિયા કરવાનું અને હિંસા વિગેરે નઠારી ક્રિયા
૧જુઓ વિશેષાવક ભા-ગણધરવાદ-ગાય-૧૬૧૩ (પૃ ૧૮૯-ચ ગ્રં) –-અનુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org