________________
હવે જે લેકે કર્મને માનતા નથી એવા નાસ્તિક અને વેદાંતિઓ છે તે આ પ્રમાણે કહે છે –
“ પુણ્ય અને પાપ એ બન્ને ખપુષ્પ જેવાં છે, પરંતુ એ કોઈ વાસ્તવિક તવ નથી એથી એ બન્નેનાં ફળપ–સ્વર્ગ અને નરક તે કયાંથી જ હોય?” તેઓના આ કથનનું જુઠાણું આ પ્રમાણે છે – - જે પુણ્ય અને પાપ એ બન્ને પુષ્પ જેવાં જ હોય અને કઈ ખાસ તવરુપ ન હોય તે સંસારમાં જે સુખ અને દુઃખ થયાં કરે છે એની ઉત્પત્તિ શી રીતે થશે? તમારા માનવા પ્રમાણે તો સુખ અને દુઃખ કદી કોઇને પણ ન થવાં જોઈએ. કારણ કે, કારણ વિના કોઈ કામ થઈ શકતું નથી. પરંતુ તમારું એ જાતનું માનવું તદન વિરૂદ્ધ જણાય છે. કારણ કે, સંસારનો પ્રત્યેક પ્રાણી, ક્ષણે ક્ષણે સુખ અને દુઃખનો અનુભવ કર્યા કરે છે. જુઓ તે જણાશે કે, મનુષ્ય તરીકેનો સરખો હક હોવા છતાં-ભોગવતાં છdi-એક મનુષ્ય શેઠાઈ કરે છે, એક મનુષ્ય ગુલામી કરે છે, એક મનુષ્ય લાખને પાળે છે, એક મનુષ્ય પિતાનું પેટ પણ ભરી શકતો નથી અને કેટલાક દેવની પેઠે નિરંતર મોજ જ કર્યા કરે છે ત્યારે કેટલાક નારકેની પેઠે દુખ ભેગવી ભોગવીને ત્રાહિ ત્રાહિ પિકાર કરી રહ્યા છે એ પ્રકારે સુખ અને દુઃખને અનુભવ સૈ કોઇને થતો હોવાથી તેનાં. કારણરુપ પુણ્ય અને પાપ તત્ત્વને સ્વીકાર જરૂર કરવો જોઈએ અને એને (એ બન્ને તત્ત્વ) સ્વીકાર કર્યા પછી એના ફળરુપ સ્વર્ગ અને નરકને પણ માનવા જોઈએ.
જેમ અંકુરે બીજ સિવાય થઈ શકતો નથી તેમ સુખ, પુણ્ય સિવાય અને દુઃખ, પાપ સિવાય થઈ શકતું નથી માટે એ બન્ને તરોને–પુણ્ય અને પાપ તાવને–જરૂર માનવાં જોઈએ. - હવે કદાચ એમ કહેવામાં આવે છે, જેમ ઘડે, ચરખે અને સાડલે વિગેરે આકારવાળી ચીજો આત્મામાં થતાં અને આકારવિનાના જ્ઞાનનું કારણ થાય છે તેમ સ્ત્રી, ચંદન અને માળા વિગેરે સારી સારી સ્કૂલ ચીજોને અમૂર્ત એવા સુખનું કારણ માનવી અને ઝેર, કા તથા સર્પ વિગેરે નઠારી નઠારી સ્કૂલ ચીજોને અમૂર્ત એવા દુઃખનું કારણે માનવી એ વ્યાજબી છે, પરંતુએ પ્રત્યક્ષસ્પ ચીજોને મૂકીને પક્ષપ પુણ્ય અને પાપને સુખનું તથા દુઃખનું કારણ ક૫વા એ કોઈ રીતે યુક્તિયુક્ત જણાતું નથી. પરંતુ તેઓનું આ કથન પણ ખોટું છે અને તે આ રીતે છે--જે એક ચીજ એક જણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org