________________
રીતે જે શબ્દ અર્પી હોય તે ઉપર પ્રમાણે જે જે સ્થિતિએ શબ્દ સંબંધે જણાવી છે તે કોઈ પ્રકારે ઘટી શકે એમ નથી અને એ બધી સ્થિતિઓ, સૈા કોઈને પ્રત્યક્ષરૂપ હોવાથી ખાટી પણ કહી શકાય એમ નથી—એ પ્રકારે શબ્દ, પુગલને જ ગુણ છે, એમાં હવે જરા પણ વાંધો રહે તેવું નથી. .
હવે કદાચ એમ કહેવામાં આવે છે, શંખમાં અને શંખ પુરી ગયા પછી તેના ટુકડાઓમાં જેમ આપણે સ્પને જોઈ શકીએ છીએ તેમ શબ્દમાં પણ આપણે રુપને કેમ જોઈ શકતા નથી ? એનો ઉત્તર એટલે જ છે કે, શબ્દમાં રહેલું ૩૫ અતિઝીણું છે જેથી આપણે આંખે એ જોઈ શકાય એવું નથી. જેમ દીવો બુઝાઈ ગયા પછી એની શિખાના રુપને અને પુલપ ગંધના પરમાણુના રૂપને આપણે જોઈ શકતા નથી તેમ શબ્દના રૂપની અત્યંત ઝીણવટ હોવાથી તે પણ આપણાથી જોઈ શકાતું નથી. એ રીતે સર્વ પ્રકારે શબ્દનું પુદ્ગલપણું સાબીત થઈ ચૂક્યું છે. હવે અંધકાર અને છો એ પણ પુદ્ગલપ હોવાથી એનું પુદ્ગલપણું આ પ્રમાણે સાબીત કરવાનું છે –જેમ ભીંત પુદ્ગલ છે માટે જ આંખમાં રહેલી જોવાની શિક્તિને આડે આવી શકે છે તેમ અંધકાર પણ આંખમાં રહેલી જોવાની શક્તિને આડે આવતે હેવાથી પુદ્ગલરુપ છે. વળી, જેમ કપડું પુગલસ્પ છે માટે જ કઈ પણ ચીજને ઢાંકી શકે છે તેમ અંધકાર પણ ચીજ માત્રને ઢાંકી દેતે હોવાથી પુગલપ છે –એ રીતે એના પગલપણામાં કશો વાંધો કૈ સંદેહ રહેતો જણાતો નથી. તથા જેમ ઠંડા વાયુ પગારપ છે માટે જ આપણને ઠંડક આપી ખુશી કરે છે તેમ છો પણ આપણને ઠંડક આપી ખુશી કરતો હોવાથી પુગલરુપ છે–એ યુક્તિથી છાંયાનું પણું પુદ્ગલપણું સાબીત થઈ શકે છે. . જેમ છો અને અંધારું પગલક્ષ્ય છે તેમ ચીમાત્રને પડછાયો કે પ્રતિબિંબ પણ પુગલ છે. કારણ કે, એ પડછાયો વા પ્રતિબિંબ ઘડા વિગેરેની પેઠે આકારવાળાં છે. હવે કદાચ એમ કહેવામાં આવે છે, જે આરિસોમાં પડતું પ્રતિબિંબ પણ પુદ્ગલપ હોય તો તે મુદ્દગલો (પ્રતિબિંબનાં પરમાશુઓ), એવા કઠણ આરિસાને ભેદીને એની સેંસરા શી રીતે જઈ શકે ? એને ઉત્તર આ પ્રમાણે છે – જેમ કઠણ એવી શિલામાં પાણીનાં પુદગલો પેસી જાય છે, કઠણુ એવા લોઢામાં અશ્ચિનાં પુગલો પેસી જાય છે અને કઠણ એવા શરીરમાં પાણીનાં પુદ્ગલે પેસી જાય છે તેમ એ કઠણ એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org