SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ પાણીમાં નાખવામાં આવે છે ત્યારે એનું જ્ઞાન નેત્ર અને સ્પેનથી થઇ શકતું નથી, પરંતુ કતુ જીભ અને નાસિકાથી જ થઇ શકે છે. એ પરમાણુએમાં જે આ જાતના ફેરફાર થએલા છે તે કાંઇ તેઓની. જુદી જુદી જાતને લીધે નહિ પરંતુ તેએાને થએલા એક જાતના સંસર્ગથી થએલે છે. અર્થાત્ જે હિંગ અને મીઠું પાણીમાં ન હેાતું નાખ્યું તેના અને જે હિંગ અને મીઠું પાણીમાં નાખ્યું છે તેના પરમાણુએ કાંઇ જુદી જુદી બે જાતના નથી-તે બંન્નેના પરમાણુએ એક જ નતના છે છતાં માત્ર સંકળને લીધે એમાં એવે! વિચિત્ર ફેરફાર જોવામાં આવે છે. એ જ પ્રકારે પૃથિવો, પાણી, તેજ અને વાયુ એ ધાનાં પરમાણુએ એક સરખા છે છતાં ફ્કત સંસર્ગ તે લીધે જ એમાં વિચિત્ર ફેરફાર! જણાયા કરે છે અને એ બધા દરેક ઇંદ્રિયથી જાણી શકાતા નથી એથી કાંઇ એ બધાને જુદીજુદી જાતના પરમાણુએ માનવા તે કાષ્ઠ રીતે યુક્તિયુકત નથી. આગળ ઉપર જણાવાઇ ગયું છે કે, શબ્દ પણ પુદ્ગલને જ ગુણ છે, તે વાતને વીગતથી સમજવા માટે નીચેની યુકિતઓ પૂરતી છેઃ શબ્દ અને આકાશ વચ્ચે અનેક પ્રકારના વિરધા હેાવાથી તે બન્નેને કોઇ પ્રકારે ગુણ-ગુણી ભાવ ઘટી શકતા નથીઃશબ્દ, છાતી, કં, માથું, જીભનું મૂળ, દાંત, નાસિકા, એક, અને તાળવું-એ એ ઠેકાણેથી પેદા થાય છે અને પેદા થતી વખતે ઢાલ તથા ઝાલર વિગેરેને કંપાવે છે માટે મૂર્તિ વાળા એટલે આકારવાળા છે અને આકાશ તેા આકાર વિનાનું છે અને કયાંયથી પેદા થાય તેવું નથી-નિત્ય છે. શબ્દ, મનુષ્યના કાનને ખેરા કરી શકે છે અને આકાશ ! એ કોંઇ. કરી શકતું નથી. વળી—શબ્દ, ફૂંકયા પછી કયાંય અથડાએલા પત્થરની પેઠે પાછે પડે એવે છે, શબ્દ, તડકાની પેઠે જ્યાં ત્યાં જપું શકે એવે છે, શબ્દ, અગરના ધૂપની પેઠે પહોળા થઇ શકે એવા છે એટલે ફેલાઇ શકે એવા છે, શબ્દ, તૃણ અને પાંદડાની પેઠે વાયુવડે લષ્ઠ જઇ શકાય એવા છે, શબ્દ, દીવાની પેઠે બધી દિશાઓમાં ફેલાઇ શકે એવા છે, શબ્દ, બીજા કાઇ મેટા શબ્દની હાજરીમાં, સૂર્યની હાજરીમાં તારાએની પેઠે દમાઇ જાય એવા છે અને શબ્દ, કાઇ નાના ( ઝીણા) શબ્દને, સૂર્ય જેમ તારાબેને ઢાંકી દેતેમ ઢાંકી દે એવા છે; આ બધાં કારણાથી શબ્દ, આકાશના ગુંગુ હોઇ શકતા નથી. આકાશ અરૂપી હોવાથી તેને ગુણ પણુ અરૂપી જ હોવો જોઇએ-એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy