SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ લેક પ્રસિદ્ધ હોવાથી એની હયાતીમાં શી રીતે શંકા થઈ શકે ? જે કંઈ કાળ નામનું તત્ત્વ જ ન હોય તે લેકપ્રસિદ્ધ એ એ શબ્દનો શો અર્થ થાય ? ખરી રીતે તે એ કાળ સુચક શબ્દો જ કાળની સાબીતી માટે પૂરતા છે. વળી, એક સરખી જાતિવાળા વૃક્ષ વિગેરેમાં જે એક જ વખતે ઋતુ અને સમયને લીધે વિચિત્ર ફેરફાર થતો જણાય છે એ પણ કાળતત્વની નિયામકતા વિના બની શકે એવું નથી, તથા ઘડે ફટ, જુટે છે અને ફુટશે, એ ત્રણે કાળના ત્રણે જુદા જુદા વ્યવહારો કાળતત્ત્વ સિવાય કેમ થઈ શકે ? અને “આની ઉમર મેટી છે અને આની નાની છે એ પણ કાળની હયાતી સિવાય કેમ બની શકે ? માટે એ બધાં કારણોને લીધે કાળની હયાતી માનવી સાવ સુગમ અને શંકા વિનાની થઈ ગઈ છે. પગલેમાને કેટલોક ભાગ પ્રત્યક્ષસ્પ છે, કેટલાકની હયાતી અનુમાન વડે જાણી શકાય એવી છે અને એની હયાતી વિષે આગમમાં પણ જણાવેલું છે. આ બધાં ઘડ, સાદડી, પાટલે, ગાર્ડ અને રેંટિયે વિગેરે સ્થૂલ પુદગલમય પદાર્થો પ્રત્યક્ષરપ છે. જે જે પુદગલો ઝીણાં અને અવિઝીણાં છે તેની સાબીતી અનુમાન વડે થઈ શકે છે -ઝીણી ઝીણી રજ કે કણીઓ સિવાય મોટી ચીજો બની શકતી નથી માટે એ મેટી મેટી વસ્તુઓ જ બે પરમાણુના ઝુમખા જેવા ઝીણું અને પરમાણુ જેવા અવિઝીણું પદાર્થોની હયાતીને સાબીત કરવાને બસ છે. અને શાસ્ત્રમાં પણ લખ્યું છે કે, “ પગલાસ્તિકાય છે” એ પ્રકારે પુદગલાસ્તિકાયની હયાતીમાં કોઈ પ્રકારનો વાંધો ઉઠી શકતો નથી. વૈશેષિકે કહે છે કે, પૃથિવીના, પાણીના, તેજના અને વાયુના–એ ચારેના બધા પરમાણુઓ જુદા જુદા છે અર્થાત એ ચારેના પરમાણુઓમાં જુદા જુદા ગુણો રહેલા છે. પરંતુ જેન સિદ્ધાંત એ હકીકતને સાચી માનતા નથી. એ તે એમ જણાવે છે કે, પરમાણુ માત્ર એક સરખા છે એટલે દરેક પરમાણુમાં એક સરખા ગુણ રહેલા છે–જે ગુણો પૃથિવીવા પરમાણમાં છે એ જ ગુણો વાયુના પરમાણુમાં પણ છે. અર્થાત જેન સિદ્ધાંત પ્રમાણે વૈશેવિકોની પેઠે કાંઈ પરમાણુના જુદા જુદા પ્રકાર નથી. પરમાણુઓમાં જે કાંઈ જુદાઈ જણાય છે એ કાંઈ એને જુદા જુદા પ્રકારને લીધે નથી, પરંતુ એ તો એમાં થતા ફેરફારને લીધે છે માટે જુદા જુદા ફેરફારવાળા પરમાણુઓને જુદી જુદી જાતના માનવા કરતાં જુદા જુદા ફેરફારવાળા માનવા એ જ બરાબર છે. જેમકે, હિંગ અને મીઠું એ બને પૃથિવીને પરમાણુઓથી બનેલાં છે અને એ બન્નેનું જ્ઞાન સ્પર્શન, નેત્ર, જીભ અને નાસિકાથી થઈ શકે છે. હવે જ્યારે એ બન્નેને . 4, P. 12, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy