________________
તેટલી જ નમ્રતાથી જણાવ્યું કે બાપુ ! પુરૂષોને શિષ્ય કરવાને અને (પુરૂને) અર્થ સમજાવવા અમારે આચાર નથી માટે તારી શિષ્ય થવાની અને ગાંથાના અર્થને સમજવાની વૃત્તિ હોય તે આ જ નગરમાં રહેતા અમારા ધર્માચાર્ય શ્રીજિનભટમુનિજી પાસે જા. શ્રીહરિભદ્રજીએ તે પિતાની પ્રતિજ્ઞા મુજબ એ મહત્તરાનાં જ શિષ્ય થવાને ઈચ્છયું હતું પણ તેણીના અત્યંત આગ્રહને લીધે છેવટ એની એ આજ્ઞા ગુર્વાસાની પેઠે જ શિરોધાર્ય કરી એમણે તક્ષણ શ્રીજિનભટમુનિજી પાસે જવાનું પ્રયાણ કર્યું અને સાથે એ મહારાષ્ટ્રને પણ લીધાં. રસ્તે જતાં વચ્ચે એ જ જૈનમંદિર આવ્યું, જે દ્વારા એકવાર શ્રીહરિભદ્રજી મોતમાંથી બચી ગયા હતા.
વાચક ! તને યાદ જ હશે કે, તે હરિભદ્ર અને આ હરિભદ્રમાં અત્યારે આકાશપાતાળ જેટલું અંતર થએલું હતું–તે હરિભદ્ર માનના સ્તંભની પેઠે અક્કડ હતા–આ હરિભદ્ર ત્રિલતાની પેઠે ઘણું જ નરમ હતા, તે હરિભદ્ર કોઈના વાળ્યા વળે તેમ ન હતા–આ હરિભદ્ર તો મહત્તરાના એક જ વચન
થી વળી ગયા હતા, કાળની કહો કે કર્મની કહો, પ્રકૃતિને કહે કે માયાની કહી–ગમે તેની કહો પણ જેની તેની એ આ જ અકળતા છે કે, જે દ્વારા એક જ વ્યક્તિમાં પણ આટલું બધું અણધાર્યું પરિવર્તન થઈ શકે છે.
મુનિ હરિભદ્ર મહારાજ શ્રીહરિભદ્રજીને એ મંદિરે લઈ ગયાં અને હરિભદ્રજી પણ જાણે પિતાના પૂર્વ ઉપહાસથી થએલા પાપનું પ્રાયશ્ચિત્ત જ ન કરતા હોય તેમ એ શાંતરસને સૂચવતી ભગવતી જિનપ્રતિમાને વિશેષ વિશેષ નિરખી નિરખીને સ્તુતિ કરતાં એ ઉપહાસવાળા જ કાને છેડે ફેરવીને બેલ્યા કે
* “ agવ તવાઇsણે મન ! વનરાજતામુ. ” ' આ ઉપરાંત એક વિયેગી ભક્તની પેઠે જાણે ઘણું કાળે આ જાતનું ઇધરસ્વર૫ ભાળી તેઓએ ગદગદસ્વરે બીજી પણ અનેક તિઓ કરીને પિતાના ચિત્તપટને વિશેષ વિશુદ્ધ કર્યો ત્યાંથી બહાર નીકળી તેઓ અને પૂ૦ મહત્તરાજી બન્ને અવિલબે શ્રીજિનભટજીનાં ચરણમાં પડ્યાં અને પહે
૧. શ્રીપ્રભાવચરિત્રકારે હરિભદ્રજીના દીક્ષાગુરુ તરીકે શ્રીજિનભટજી” ને જણાવેલા છે તે પણ શ્રીહરિભદ્રના પિતાના જ એક ઉલ્લેખ (જૂઓ
આ નિબંધ પૂ૦ ૭ (૫) ધારા એ સંધે કાંઈ જુદુ જ જણાય છે અને એ આ - પ્રમાણે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org