SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ગતિ કરવામાં ધર્માસ્તિકાય ટેકો આપે છે–પાણું કાંઈ માછલાને પરાણે ચલવતું નથી તેમ ધર્માસ્તિકાય તત્ત્વ પણ કોઈ પદાર્થને પરાણે ગતિ આપતું નથી. એ તો માત્ર ઉડવામાં જેમ પક્ષિઓને આકાશ નિમિત્તરૂપ છે તેમ ધર્માસ્તિકાય પણ ગતિ થવામાં નિમિત્તરૂ છે–અપેક્ષાકારણ છે. તથા જેમ બેસી જવાની ઈચ્છાવાળા મનુષ્યને બેસવામાં જમીન ટેકો આપે છે તેમ અધર્માસ્તિકાય તત્વ પણ સ્થિતિના પરિણામવાળા પદાર્થમાત્રને સ્થિર થવામાં ટેકો આપે છે–જમીન કોઈ પણ પદાર્થને પરાણે બેસારતી નથી તેમ અધર્માસ્તિકાય પણ કઈ પદાર્થને પરાણે સ્થિતિ આપતું નથી. એ તે માત્ર ઘડો થવામાં જેમ કુંભાર અને ચાકડો નિમિત્ત કારણ છે તેમ પદાર્થ માત્રને સ્થિતિ આપવામાં અધર્માસ્તિકાય નિમિત્ત કારણ છે, એ જ પ્રકારે જેમ ખેડ કરતા ખેડુતને વરસાદ ટેકો આપે છે તેમ આકાશ પણ અવગાહની ત્વરાવાળા પદાર્થને અવગાહ આપે છે–વરસાદ કાંઈ ખેડ નહિ કરતા ખેડુતને પરાણે ખેડ કરવાનું કહેતા નથી તેમ આકાશ પણ અવગાહને નહિ ઈછતા પદાર્થને પરાણે અવકાશ આપતું નથી. એ તે માત્ર જેમ બગલીને વીંયાવામાં મેધનો ગગડાટ નિમિત્તરૂપ છે, સંસારનો ત્યાગ કરતા પુરૂષને ત્યાગમાં જેમ સદુપદેશ નિમિત્તરૂપ છે તેમ આકાશ પણ અવગાહ આપવામાં નિમિત્તરૂપ છે. એ પ્રકારે ધર્માસ્તિકાય વિગેરેની પ્રવૃત્તિઓ છે અને એ વડે જ એની હયાતી માનવી યુક્તિયુક્ત છે. ગતિમાં સહાય આપવી એ ધર્માસ્તિકાયનું કામ છે અને સ્થિતિમાં સહાય આપવી એ અધર્માસ્તિકાયનું કામ છે, કિંતુ એ બને ઠેકાણે સહાય આપવાનું કામ અવગાહરૂપ આકાશનું હોઈ શકતું નથી. એ ત્રણે તત્ત્વો જુદાં છે માટે એના ગુણો પણ જુદા જુદા જ હોય. એ ત્રણે તેનું જુદાપણું યુક્તિ વડે અથવા શાસ્ત્ર વડે સમજી લેવાનું છે. એ વિષે શાસ્ત્રમાં આ પ્રમાણે જણાવ્યું છે –“હે ભગવન ! દ્રવ્ય કેટલાં કહ્યાં છે ? હે ગૌતમ ! છ દ્રવ્યો કહ્યાં છે. તે જેમ કે; ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય, જીવાસ્તિ. કાય અને અદ્ધાસમય એટલે કાળ.” - હવે કદાચ એમ કહેવામાં આવે છે, પક્ષી અધ્ધર ઉંચે ઉડે છે, અગ્નિની ગતિ ઉંચી હોય છે અને વાયુ પણ તીર છો વાય છે–એ બધું સ્વભાવથી જ અનાદિ કાળથી ચાલ્યું આવે છે એમાં કાંઈ ધર્માસ્તિકાયની સહા યતાની જરૂર જણાતી નથી– તે એ જાતનું કથન બરાબર નથી. કારણ કે, જૈન સિદ્ધાંત પ્રમાણે એવી એક પણ ગતિ નથી, જે ધર્માસ્તિકાયની સહા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy