________________
જેમકે, ઘેડાનાં શિંગડાં. અને બીજું, પદાર્થ સદુ૫ (હયાd) હોય તે પણ ન દેખાય. જે પદાર્થ વિદ્યમાન હોય છતાં ન દેખાય તેનાં આંઠ કારણો છે –
૧. એક તે કોઈ પણ પદાર્થ બહુ દૂર હોય છે તે જોઈ શકાતું નથી– કઈ પ્રવાસી ચાલતા ચાલતો બહુ દૂર જાય અને પછી તે ન જોઈ શકાય એટલે આપણાથી એમ તો ન જ કહી શકાય છે, એ પ્રવાસીની હયાતી નથી. એ જ પ્રમાણે સમુદ્રને કાંઠે વિધમાન હોવા છતાં અતિદુર હોવાથી દેખાતો નથી એથી કાંઈ “એ નથી એમ કેમ કહેવાય ? આપણા થઈ ગયેલા વડવાએને આપણે જોઈ શકતા નથી એથી શું આપણે એમ કહીશું કે, આ થયા નથી ? વળી પિશાચ વગેરેને આપણે જોઈ શક્તા નથી એથી શું આપણે એની હયાતી નહિ માનીએ ?-એ બધાં દટાંતો અતિદૂરનાં છેપહેલાં બે ઉદાહરણો દેશાતિદૂરનાં છે, ત્રીજું ઉદાહરણ કાલાસિંદૂરનું છે
અને છેલ્લું ઉદાહરણ સ્વભાવાતિદૂરનું છે. - ૨. જે ચીજ બહુ નજીક હોય તે પણ જોઈ શકાતી નથી–આપણી આંખમાં આંજણ આંજેલું હોય છે છતાં આપણે એ આંજણને જોઈ શકતા નથી, કારણ કે, એ બહુ નજીક છે. તેથી આપણે એમ કેમ કહીએ કે - ખમાં આંજણ નથી ?
૩. ઈદ્રિયને નાશ થવાથી કેટલીક છતી ચીજોને પણ આપણે જાણી કે જોઈ શકતા નથી. જેમકે, આંધળા મનુષ્યો રંગ-રૂપને જોઈ શકતા નથી અને બહેરા મનુષ્ય અવાજને સાંભળી શકતા નથી, તેથી શું તેઓ કે બીજો કોઈ એમ કહી શકશે કે, રંગ-રૂપ કે અવાજ નથી.
૪. મનની અસ્થિર સ્થિતિને લીધે પણ વિધમાન પદાર્થોને ખ્યાલ આવી શકતું નથી. જેમકે, કોઈ બાણાવળી બાણેને ચલાવવામાં જ ચિત્તને પરવીને બાણ ચલાવતા હોય તે વખતે તેની પડખે થઈને મોટી ધામધુમથી રાજા પણ ચાલ્યા જાય તેને એની ખબર રહેતી નથી, કારણ એ છે કે, એ વખતે એનું ચિત્ત રાજાને જોવામાં સ્થિર હોતું નથી. તે એથી એ કે બીજો કઈ એમ શી રીતે કહી શકે છે, એની પડખે થઈને રાજા નથી ગયો? વળી જેઓનાં મન ઠેકાણે નથી એવા ગાંડા માણસો તો કાંઈ જાણી શક્તા જ નથી, એથી શું કાઈ પણ મનુષ્ય હયાત પદાર્થોને માનવામાં આનાકાની કરશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org