________________
ભાગમાં કાળદ્રવ્યની હાતી જાગતી નથી. ત્યાં તે સ૫ પદાર્થ માત્ર પિતાની જ મેળે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને સ્થિતિ કરે છેત્યના પદાર્થોની હયાતી સઇજ જ છે, કિંતુ તેમાં કાળની અપેક્ષા નથી. ત્યાં આપણી પેટે સરખે સરખા પદાર્થોની કોઈ પણ ક્રિયા એક સાથે ન થતી હોવાથી તેની કોઈ પણ ક્રિયામાં કાળની જરૂર પડતી નથી. સરખે સરખા પદાર્થોમાં જે ફેરફાર એક સાથે થાય છે તેનું જ કારણે કાળ છે, પરંતુ જુદા જુદા પદાર્થોમાં એક સાથે જ થતા ફેરફારોનું કારણુ કાળ હેઈ શકતો નથી. કારણ કે, એ જુદા જુદા ભાવેની ક્રિયાઓ એક કાળે જ થતી નથી તેમ નાશ પણ પામતી નથી માટે મનુષ્ય લેકની બહારના ભાગમાં થતા કઈ પણ ફેરફારનું કારણ કાળ હોઈ શકે નહિ, તેમ ત્યાં જે નાના મેટાને વ્યવ. હાર ચાલે છે તે, સ્થિતિની અપેક્ષાએ છે. અને સ્થિતિ, હયાતીની અપેક્ષાએ છે અને હયાતી તે સહજ છે માટે તે બે હાર માટે પણ ત્યાં કાળની આવશ્યકતા જણાતી નથી. જે કેાઈ આચાર્યો કાળને ખાસ જુદા દ્રવ્ય રૂપે માનતા નથી તેઓની માન્યતા પ્રમાણે વર્તન અને પરિણામ વિગેરે, પદાર્થ માત્રમાં થતા ફેરારે છે–એ કાંઈ કઈ પદાર્થથી જુદાં નથી તેથી એ માટે કાળની અપેક્ષા રહેતી નથી.
" પુલતવતત્વાર્થસૂત્રમાં જણાવ્યું છે કે, “પુકાલે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ ૨૫-વાળાં છે.” જ્યાં જ્યાં પશે હોય છે ત્યાં બધે ઠેકાણે રસ, ગંધ અને પ પણ હોય છે, એ જાતનું એ ચારેનું સહચરપણું સ્પષ્ટ જણાય છે અને એ સહચરપણે જણાવવા માટે જ આ સૂવમાં સૌથી પહેલાં “સ્પર્શ' ને મૂકો. છે માટે પુથિવીની પેઠે પાણીમાં, વાયુમાં અને તેમાં પણ એ ચારે ગુણે છે તથા પૃથિવીના પરમાણુની પેઠે મનમાં પણ એ ચારે ગુણો છે. કારણ કે, એ (મન), સર્વવ્યાપી ચીજ નથી. જે જે ચીજ સર્વવ્યાપી નથી હોતી તેમાં એ ચારે ગુણ હોય છે. એથી મનમાં પણ એ ચારે ગુણોની હયાતી ઘટી શકે એવી છે.
૧. જૂઓ તસ્વાર્થ સૂત્ર-અધ્યાય પાંચમાનું ૨૩ મું સુત્ર-“પારજષવર્ણવન્તઃ પુજા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org