SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ નિશાનીઓ છે તત્વાર્થસૂત્રમાં જણાવ્યું છે કે, કાળને લઈને વિના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપર વિગેરે ભાવે, ચીજ માત્રમાં જણાયા કરે છે. પોતાની મેળે વર્તતા પદાર્થોને વર્તવામાં સહાય આપનારી અને કાળમાં રહેલી એક પ્રકારની શક્તિને “વર્તના” કહેવામાં આવે છે–પ્રત્યેક પદાર્થની પ્રથમ સમયની સ્થિતિનું નામ વિના છે. જે કોઈ પદાર્થ પિતાને મૂળ સ્વભાવ છેડ્યા સિવાય કેદની પ્રેરણાથી કે સહજ જ કોઈ પ્રકારના ફેરફારને પામે–એ ફેરારનું નામ પરિણામ છે. જેમકે, વૃક્ષનું મૂળ અને અંકરે એ બધી અવસ્થાઓ પરિણામ છે–અંકર હતા, હમણાં શાખાઓ ઉગી છે અને હવે પછી એ ફળશે, એ જ પ્રમાણે આ બાળક હતો, હવે એ જ યુવાન છે અને હવે પછી એ જ વૃદ્ધ છે. એ જાતના અનેક વ્યવહારોમાં વૃક્ષનું વૃક્ષપણું અને પુરૂષનું પુરૂષપણું કાયમ રહેતાં પણ જેમ અનેક જાતના ફેરફારે જણાય છે તેમ “કાળના વિષયમાં પણ સમજી લેવાનું છે. * પરિણામના બે પ્રકાર છે–એક અનાદિ પરિણામ અને બીજે સાદિ પરિણામ અનાદિ એટલે જેને આરંભ સમય જણાતો નથી અને સાદિ એટલે જેનો આરંભ સમય જાણી શકાય છે-તે. ધર્માસ્તિકાય વિગેરે અમૂર્ત પદાર્થોમાં જે પરિણામ થાય છે કે જણાય છે તે અનાદિ છે અને વાદળાં તથા ઇંદ્રધનુષ વગેરે મૂર્ત (આકારવાળા) પદાર્થોમાં તથા એ જ જાતના ઘડે, કમળ અને થાંભલે વિગેરે પદાર્થોમાં જે પરિણામ થાય છે તે સાદિ છે. ઋતુના વિભાગને લીધે અને સમયના ફેરફારને લીધે એક સરખાં વૃક્ષોમાં પણ એક જ વખતે વિચિત્ર ફેરફાર થઈ જાય છે—એ બધું પરિણામવાદમાં આવી જાય છે. કઈ જાતના પ્રયોગ વડે કે સહજ જ જીવેના પરિણમનને કિયા કહેવામાં આવે છે, કાળ નામનો ભાવ, એ ક્રિયા થવામાં સહાયરૂપ છે, જેમ કે, ઘડે છુટી ગયો, સૂર્યને જોઉં છું અને વરસાદ થશે-ઇત્યાદિ પરસ્પર સેળભેળ વિના ચોખા વ્યવહારે જેની અપેક્ષાએ પ્રવર્તી રહ્યાં છે એનું નામ કાળ છે તથા આ મોટું છે અને આ નાનું છે, એ બન્ને વ્યવહારનું નિમિત્ત પણ એ જ છે. એ રીતે વર્તના પરિણામ અને ક્રિયા વિગેરેના વ્યવહારોથી મનુષ્ય લોકમાં કાળની હયાતી જાણી શકાય છે, મનુષ્ય લેકથી બહારના ૧. જૂઓ વાર્થ સૂત્ર-અધ્યાય પાંચમાનું રર મેં સૂત્ર" વર્તના પળામ: શિચા કરવા-suત્વે વાસી’:-અનુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy