________________
જડને સ્થિત રાખવામાં અસાધારણ નિમિત્ત છે અર્થાત પિતાની મેળે જ, સ્થિતિના પરિણામવાળાં જડ અને ચેતનને સ્થિર રાખવામાં એ અધર્મ, અત્યંત ઉપકાર કરે છે. એ જ રીતે આકાશાસ્તિકાય વિષે પણ સમજી લેવાનું છે. માત્ર વિશેષ એટલું જ કે, એ આકાશના અનંત પ્રદેશો છે, એ, લેક અને અલોક–બમાં વ્યાપી રહેલું છે તથા અવગાહ પામનારા જડ અને ચેતનને અવગાહ આપીને એ આકાશ ઉપકાર કરે છે. જે કોઈ આચાર્યો “કાલને કઈ ખાસ જુદા ભાવ નથી માનતા, કિંતુ જડ અને ચેતનના પર્યાયરુપે માને છે તેઓની માન્યતા પ્રમાણે પાંચ દ્રવ્ય છે અને તે—ધર્મો સ્તિકાય, અધર્માસ્તિકાય, અકાશાસ્તિકાય, પુરાલાસ્તિકાય અને જીવાસ્તિકાય
–એમ પાંચ છે અને જે આચાર્યો તે “કાલ” ને પણ એક ખાસ જુદે જ. ભાવ માને છે તેઓની માન્યતા પ્રમાણે છે દ્રવ્ય છે અને તે—ધર્માસ્તિકાયા અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળએમ છ છે. જે સ્થળે લોક નથી કિંતુ માત્ર એક એક જ છે ત્યાં પણ આકાશ રહેલું છે અર્થાત લેક અને અલેક એ બન્નેમાં રહેનારું આ એક આકાશ દ્રવ્ય જ છે. પિતાની મેળે જ અવગાહ (એટલે સમાસ) મેળવવાને આતુર થએલા જડ અને ચેતન ભાવેને એ આકાશ અવગાહ આપીને ઉપકાર કરે છે, પરંતુ જે જડ અને ચેતન ભાવ અવગાહ મેળવવાની ત્વરાવાળા નથી તેને તે પરાણે અવગાહ આપતું નથી–એ અપેક્ષાએ જેમ મગર વિગેરેને ચાલવાની ક્રિયામાં પાણી એક અસાધારણ નિમિત્ત કારણ છે તેમ એ આકાશ પણ અવગાડ આપવામાં અસાધારણ નિમિત્ત કારણ છે. કદાચ એમ કહેવામાં આવે છે, જે આકાશ અલકના ભાગમાં રહેલું છે તે તે કોઈને પણ અવગાહ આપી શકતું નથી તેથી એને અવગાહ આપનારું શી રીતે કહેવાય? એ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે – એ અલકના ભાગમાં પણ ગતિનું કારણ ધર્માસ્તિકાય અને સ્થિતિનું નિમિત્તે અધર્માસ્તિ
આ ઉપરના ઉલ્લેખમાં સ્પષ્ટ પ્રકારે અધર્માસ્તિકાય અને પ્રાણાતિપાત– હિંસા-વિગેરેની સમપર્યાયતા જણાવી છે અને તેથી જ સૂત્રકારનો આશય અધમસ્તિકાય અને અહિંસા વિગેરેનો સરખે ભાવ જણાવવાનો હોય તે પણ કળાઈ આવે છે અર્થાત્ જયારે આ સૂત્રમાં અધર્માસ્તિકાય વિશે આવા પ્રકારનો ઉલ્લેખ છે ત્યારે આ સૂત્ર, બીજ સૂત્ર અને બીજા ગ્રંથોમાં અધર્માસ્તિકાય વિષે એક જડ દ્રવ્ય હોવાની વ્યાખ્યા પણ ઠેક ઠેકાણે મળ્યા કરે છે એથી એ બે વ્યાખ્યામાં કઈ વ્યાખ્યા રીતસરની અને અવિત છે એ હોત તે બધુને શરણે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org